SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] સમર્થ–સમાધાન અલગ આપ્યું છે. અહિં સંક્ષેપમાં એ જ સમજવું કે, બાદર એકેન્દ્રિયના ૧૦ ભેદ લેકમાં કયાંક છે અને કયાંક નથી. પરંતુ સૂક્ષમ એકેન્દ્રિયના ૧૦ ભેદ સંપૂર્ણ લેકમાં છે. પ્રશ્ન ૧૩૫૧ –ચરિમ સમયે કૃતિ યુગ્મ એકેન્દ્રિયમાં દેવ ઉત્પન્ન થતા નથી, તે કયા આશયથી કહ્યું છે? ઉત્તર :–અહિં ચરમ શબ્દથી એકેન્દ્રિયને મરણ સમય વિવક્ષિત છે અને તે તેના પરભવ (આગળના)ના આયુષ્યને પ્રથમ સમય છે. જ્યારે એકેન્દ્રિયના ભવને અંતિમ સમય બતાવી દીધું અને તે આગામી ભવમાં જાય છે ત્યારે તેમાં દેવેનું ઉત્પન્ન થવું એ કેમ સંભવિત હોય? અહિં તે ઉત્પન્ન થવાવાળા એ જ એકેન્દ્રિય છે. પ્રશ્ન ૧૩પર –પ્રથમ ચરિમ (છેલ્લે, સમય અને ચરિમ–અચરિમ સમય કેને કહે છે? ઉત્તર:–વિવક્ષિત સંખ્યાની રાશીના અનુભવના અને ભાવના પણ અંતિમ સમયવતી એકેન્દ્રિયને ચરમ-ચરમ-સમય કૃતયુગ્મ (૨) એકેન્દ્રિય કહેવામાં આવે છે. વિવક્ષિત સંખ્યાની રાશીના અનુભવના પ્રથમ સમયવતી અને પિતાના ભવના અંતિમ સમયવતી એકેન્દ્રિાને પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ ૨ કહે છે, આ પ્રકારના તે તે શબ્દોને જોઈને શબ્દાનુસાર અર્થ સમજવું જોઈએ. અપ્રથમ અને ચરમ સમયના બોલ તે જાણ્યા નથી. પ્રશ્ન ૧૩૫૩ –શ્રેણિક નરેશના પૂર્વ ભવનું વર્ણન કયા સૂત્રમાં આવ્યું છે? ઉત્તર:- શ્રેણિક નરેશના પૂર્વ ભવનું વર્ણન કેઈ સૂત્રમાં જોવામાં આવ્યું નથી. પ્રશ્ન ૧૩૫૪ –શ્રી કૃષ્ણ વાસુદેવને પ્રધુમ્ન કુમાર પ્રમુખ સાડાત્રણ કરોડ કુમાર હતા, તે શું તે બધા કૃષ્ણ વાસુદેવના જ પુત્ર હતા? ઉત્તર –પ્રદ્યુમ્નકુમાર આદિ સાડા ત્રણ કરોડ કુમાર, અંતગડ તથા જ્ઞાતામાં બતાવ્યા છે. તે બધા કૃષ્ણ-વાસુદેવના પુત્રો હતો એમ ન સમજવું જોઈએ. પરંતુ તેના રાજ્ય (પરિવાર) માં બધા સ્થાને મળીને એટલા કુમારે હતા. આ બાબત ત્યાં બતાવેલ દશાર, મહાવીર, દુદન્ત, વીર વગેરેની સંખ્યા તથા વર્ણનથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૫૫ –માતાને ઘેર ગયા પછી થાવચ્ચ પુત્રે ૧૦૦૦ પુરુષે સાથે, સ્વયં પંચ-મુછી લેચ કરીને દીક્ષા લીધી, તેમણે માતાની હાજરીમાં દીક્ષા કેમ ન લીધી? ઉત્તર :–જેવી રીતે થાવણ્યા પુત્રની માતા, દીક્ષાની આજ્ઞા આપીને ચાલી ગઈ અને પછી તેણે દીક્ષા લીધી. એવી જ રીતે મેઘકુમાર તથા જમાલિ ક્ષત્રિયકુમાર વગેરેના માતા પિતા પણ દીક્ષાની આજ્ઞા આપીને, ચાલ્યા ગયા. તેમના ગયા પછી, દીક્ષા લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy