SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] : સમર્થ–સમાધાન જે શરીરથી પહેલાં ચેતન હતું જ નહીં અને નાશ પણ તેના શરીરની પહેલાં જ હોય તે શરીરથી ચેતનની ઉત્પત્તિ અને એમાં જ નાશ થશે એવું જ્ઞાન ચેતનને કેવી રીતે થયું ? શરીર તે જડ છે. ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન તેને હોતું જ નથી તેથી તેનાથી ભિન્ન અવશ્ય કોઈ ચેતન છે, ત્યારે જ તેને જ્ઞાન થાય છે. શબ્દ વગેરેના એક એક વિષયનું જ્ઞાન એક એક ઇન્દ્રિયને ઉપચારથી થાય છે, પરંતુ આત્માને તે પાંચેય ઈન્દ્રિયેનું જ્ઞાન હોય છે. તેથી આત્માનું અસ્તિત્વ ભિન્નરૂપથી સ્પષ્ટ છે. દેવ તથા નરક તો પિતાને માટે અપ્રત્યક્ષ છે, કિન્તુ તિર્યંચરૂપ પરલોક તે પિતાને પણ પ્રત્યક્ષ છે, તેનામાં તથા મનુષ્યોમાં કર્મકૃત ભેદ પણ દેખાય છે, તે પણ આત્માનું અવિનાશપણું અને પરલેકનું પ્રતિક છે. Bધ વગેરે પ્રવૃત્તિઓની વિશેષતા સર્પાદિ પ્રાણીઓમાં જન્મથી જ દેખાય છે. તે પણ આ ભાવથી અભ્યાસી ન હોવાથી જન્માંતરથી અભ્યસ્ત સમજાય છે. આથી પણ પૂર્વજન્મની અને જીવની નિત્યતા સાબિત થાય છે. હમણાં આ યુગમાં પણ કઈ કઈને જાતિવમરણ જ્ઞાન થાય છે, એવું સાંભળવામાં આવે છે, આનાથી પણ પૂર્વ જન્મની સિદ્ધિ અને જીવનું અવિનાશીપણું સ્પષ્ટ થાય છે. દ્રવ્યનું અવસ્થા અતર (પરિવર્તન) થઈ શકે છે. પરંતુ સંપૂર્ણ રીતે નાશ થતે નથી. જેને કદી સંપૂર્ણ નાશ થતું નથી એ જ દ્રવ્ય કહેવાય છે. જીવ પણ દ્રવ્ય છે. તેથી તે અનાદિથી હો, છે, અને રહેશે અને કદી પણ તેને સદન્તર નાશ નહીં થાય. આત્માને અવિનાશી ન માનવાથી અનેક દેશની પ્રાપ્તિ થાય છે. જેમાં નીચેના દો મુખ્ય છે. મૂળથી જીવની ઉત્પત્તિ અને નાશ માને તે જીવ કઈ ચીજને બને છે, અને તેને નાશ થયા પછી તેનું શું થાય છે વગેરે અનેક દેષ ઉભા થાય છે. મૂળથી જ જીવની ઉત્પત્તિ અને વિનાશ માનવાથી સદ્દભાવને નાશ અને અસદ્દભાવની ઉત્પત્તિ વગેરે દોષ પણ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ અનેક બાબતે વિચાર કરવાથી આત્માનું અનાદિપણું અને અવિનાશપણું સ્પષ્ટ પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૩૨૨:–સિદ્ધ ભગવાનને ઈશ્વર માને તે ઘણું ઈશ્વર થઈ જશે. લગભગ બધા મતવાળા માને છે કે એક એવી શક્તિ છે કે, જેને ઈશ્વર માનવે જોઈએ. આ યુક્તિનું ખંડન કયા પ્રકારે થઈ શકે છે? ઉત્તર :-સમ્યફ પુરુષાર્થથી કોઈ પણ જીવનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ જાય, તેને ઈશ્વર (સિદ્ધ) સમજવું જોઈએ. આ પ્રમાણે કઈ પણ જીવ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરીલે તે તેઓ બધા ઈશ્વર કહેવડાવવા ગ્ય હોય છે પણ માત્ર એક નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy