SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૭૫ એ પ્રમાણે કહી શકાય છે. તેથી આ પાઠ કયા પ્રાણિઓને ઉદેશીને કહેવામાં આવ્યો છે? ઉત્તરઃ—કાળવા જે જ્ઞાતિ જણા: પાઠને અર્થ જાણવા છતાં પણ હું જાણું છું એમ ન કહે અર્થાત્ મૌન જ રહે એ અર્થ જ બરાબર સંગત છે. આવો અર્થ કરવાથી જ આ આલાવાના શબ્દો સાથે બરાબર મેળ બેસે છે. પ્રશ્ન ૧૩૧૯ઃખૂબ ગરમી અને ખૂબ ઠંડી લાગવા છતાં પણ અનાજ નિજીવ બનતું નથી તે પછી માત્ર સ્પર્શથી જ નિર્જીવ થઈ જાય છે, એવી કલ્પના કરવી ક્યાં સુધી ઉચિત છે? ઉત્તર –ખૂબ ગરમી, ખૂબ ઠંડી અને સ્પર્શથી પણ કઈ કણ નિર્જીવ બની શકે છે. નિજીવ બનવાને એકાંત નિષેધ નહીં કરવો જોઈએ. કયારેક કેઈ નિર્જીવ ન પણ થાય. તે પણ પીડા તે જરૂર થાય છે. તેથી પ્રાયશ્ચિત લેવું અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્ન ૧૩૨૦ –ભગવતી સૂત્રમાં કહ્યું છે કે છ મહિનામાં નિમિત્ત ઘાયલ મરે તે પ્રાણાતિપાત કિયા લાગે છે, તે જેનું આયુષ્ય સ્વભાવિક ઓછું હેય અને નિમિત્ત મળી જાય તે શું પ્રાણાતિપાતક્રિયા ન લાગે? ઉત્તર –છ મહિનામાં મરવાથી જે પાંચમી ક્રિયા બતાવી છે, તે વ્યવહારનયથી સમજવી જોઈએ, પરંતુ ખરી રીતે તે એમ સમજવું જોઈએ કે તે પ્રહાર કરતી વખતે મરી જાય તે પાંચમી ક્રિયા લાગે છે. આ પ્રકારનું સ્પષ્ટિકરણુ ભગવતી શ. ૧, ઉ. ૮ની ટીકામાં આપ્યું છે. પ્રશ્ન ૧૩૨૧ -નાસ્તિક વ્યક્તિ માને છે કે શરીરનાં વિનાશની સાથે આત્માને પણ વિનાશ થઈ જાય છે. તપ, જપ કરવાની કોઈ જરૂર નથી. જો કે રાજપ્રશ્નીય સૂત્રમાં તેનું થોડુંક સમાધાન છે. પરંતુ તે માત્ર દૃષ્ટાંત રૂપે છે. જે આત્માને વિનાશ થ માનવામાં આવે તો કયા કયા દેષ લાગે છે? ઉત્તર – શરીરના પ્રત્યેક પરમાણુને વિચાર કરવાથી તેઓની જડતા સ્પષ્ટ દેખાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવી શક્ય નથી તેમજ તેને નાશ થવે તે પણ શક્ય નથી. દેહ, રૂપી સ્થલ વગેરે પરિણામવાળો છે. અને ચેતન દષ્ટા છે. ત્યારે તેના સંગથી ચેતનની ઉત્પત્તિ અને તેમાં વિનાશ થાય જ કેવી રીતે? જેનામાં કદી પણ જાણવાનો સ્વભાવ ન હોય તે જડ અને જેનામાં હંમેશા જાણવાને સ્વભાવ હોય તે ચેતન. આ રીતે બંનેના સ્વભાવ અત્યંત ભિન્ન ભિન્ન છે. બંને એક જ સ્વભાવ કદાપિ હોઈ શકો જ નથી, અર્થાત્ જડને ચેતન અને ચેતનને જડ કદી બની શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy