SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] સમર્થે સમાધાન ઉત્તર –સ્વાધ્યાયને માટે આ નિયમ લાગુ કરવામાં આવતું નથી. પ્રશ્ન ૧૩૦૬ –એકેન્દ્રિયને સ્પર્શ કરવામાં પ્રાયશ્ચિત બતાવ્યું છે, તે બે ઇન્દ્રિય વગેરે જેને સ્પર્શ થઈ જાય તે પ્રાયશ્ચિત કેમ બતાવ્યું નથી? જે એકેન્દ્રિય જીના મૃત્યુને ન જાણવાની આશંકાથી જ પ્રાયશ્ચિતનું વિધાન છે, તો દંડ પણ શંકાયુક્ત પ્રકારે હોવો જોઈએ, નિશ્ચયાત્મક નહિ? ઉત્તર :-પૃથ્વી, પાણી, અગ્નિ, કમળ લીલોતરી, કુલ વગેરે અનેક એકેન્દ્રિય જીવોના સ્પર્શથી, અનેક જીવોની વિરાધના થઈ જાય છે, પરંતુ બેઈન્દ્રિય આદિ જીવોના સ્પર્શથી વિરાધના થાય છે એ એકાન્ત નિયમ નથી. હાં, જે કદાચ બેઈન્દ્રિ આદિ મરી જાય અથવા તેઓને ખાસ તકલીફ (પીડા) પહોંચે તે તેને પણ દંડ (પ્રાયશ્ચિત) આવે છે, હવે રહી બાબત ધાન્યની કણ વગેરે પગ નીચે દબાય તેની; તે તેઓ દબાવાથી મરે, કે ન પણ મરે, પરન્તુ પગ નીચે દબાવાથી તે એકેન્દ્રિય ને બહુજ પીડા થાય છે. ભગવાને, ભગવતી શ.૧૯ ઉ.૩માં, વૃદ્ધનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે. તેથી તે એકેન્દ્રિય જીવોને પીડા થતી હોવાને કારણે, પ્રાયશ્ચિત લેવું અનિવાર્ય છે. આ બાબત શંકાયુક્ત નથી. પ્રશ્ન ૧૩૦૭ –કેવળજ્ઞાની, સમુદઘાત કરે છે કે સ્વાભાવિક હેય છે? માનવીના કર્તવ્યને અસંખ્યાત સમય લાગે છે, જે તેને સ્વાભાવિક માનવામાં આવે, તે સોને હેવી જોઈએ. કર્મોની આ પ્રકારની સમુદઘાત સ્વાભાવિક થવી અસંગત લાગે છે? ઉત્તરઃ—ઉત્થાન આદિ જીવની શક્તિની અપેક્ષાએ તે, કેવળીને સમુદ્રઘાત કરવાનું જ બતાવ્યું છે, પરંતુ તે હસ્ત, પાદ આદિની પ્રવૃત્તિથી નહિં. હસ્ત, પાદ વગેરેની પ્રવૃત્તિના કાર્યને અસંખ્ય સમય લાગે છે, અંતરંગ ઉત્થાન આદિ શક્તિનું કાર્ય તે જીવ એક અથવા અનેક સમયમાં પણ કરી શકે છે. તેથી આઠ સમયમાં કરવામાં હરકત નથી. આયુષ્ય અલ્પ હોય અને વેદનીય કર્મોની સ્થિતિ અધિક હોય એ જ કેવલી, કેવળસમુદ્દઘાત કરે છે, બીજા નહિં. પ્રશ્ન ૧૩૦૮ –શું અસુર કુમાર દેવે અસંખ્ય વર્ષ પહેલાની વાત અથવા પછીથી થનારી વાત જાણી શકે છે? જો હાં, તે શું બધા જાણી શકે છે, અને જો નહિં, તે શા માટે? ઉત્તરઃ—જે અસુરકુમાર દે સાગરોપમની સ્થિતિવાળા હેય છે તેઓ અસંખ્ય વર્ષ પહેલાંની અને આગળ થનારી બાબતોને જાણી શકે છે, પરંતુ પલ્યોપમની સ્થિતિવાળા જાણી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy