SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૬૭ છે પરંતુ તેમાં દ્રવ્ય અનંત છે. બીજા દ્રવ્યોનું તે કહેવું જ શું, પરંતુ આડ સ્પશી દ્રવ્યની અપેક્ષાએ છ ભેદ હોઈ શકે. જેમકે મનઃ પર્ય વિજ્ઞાન વિષય મનુષ્ય ક્ષેત્ર હવા છતાં છ ઠાવડિયા બતાવ્યું છે. એ જ પ્રમાણે ચક્ષુ દર્શનના મંદતમ પશમથી ઉત્કૃષ્ટ ક્ષેપશમમાં અનંતગુણ અંતર દ્રવ્યની અપેક્ષાએ પડે છે. અવગાહનાની અપેક્ષા નહીં. - પ્રશ્ન ૧૨૮૬ –અવગાહના પદમાં અનંત પ્રદેશી સ્કધમાં પણ છ ભેદ બતાવ્યા છે, તો તે ક્યા પ્રકારે છે ? ( ઉત્તર:–અનંત પ્રદેશ સ્કંધમાં પણ અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાન પતિતથી અધિક હોઈ શકતા નથી. હા, પ્રદેશની તથા વર્ણ આદિની અપેક્ષાએ તે છ સ્થાન પતિત હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૮૭ –ઉત્તરાધ્યયન અ, ૩૩ ગાથા ૧૭ માં જીવ એક સમયમાં અનંત પુદ્ગલેના સ્કરને કમ રૂપે ગ્રહણ કરે છે. અને તે સ્કીધોના પ્રદેશોની ગણતરી કરવામાં આવે તે બધા જીવોનાં પ્રદેશથી પણ તે પ્રદેશે વધારે હોય છે. ગાથા ૨૪મા “સત્રજીવકું રૂછીં”. છે. અહીંયા પ્રશ્ન એ છે કે જીવ પ્રત્યેક સમયમાં અનંત પુદગલ સ્કધોને કમરૂપમાં ગ્રહણ કરે છે. અને એટલાને જ ભગવે છે? અભવ્ય જીથી અનંત ગુણ અધિક અને સિદ્ધોને અનંતમે ભાગે કહ્યા છે? ઉત્તર –ઉત્તરાધ્યયનના ૩૩ મા અધ્યયનની ૧૭ મી ગાથાને અર્થ ચોથા પ્રશ્નના ઉત્તરમાં જે પહેલા અહીંથી આપ્યું હતું. તે માટે ઉત્તરાધ્યયનની અનેક પ્રતિઓમાં નીચે પ્રમાણે ખુલાસે કર્યો છે, “એક જીવ એક સમયમાં જે કર્મ બાંધે છે, તે કર્મના પરમાણુ એનું આ પ્રમાણ જાણવું, કારણ કે સર્વ કર્મના પરમાણુ તે એ સર્વ જી કરતા અનન્તાનંત ગુણ છે તેથી આ કહેલું પરિમાણ અન્યથા ઘટતું નથી. અનેક પ્રતિઓમાં . આપના લખવા પ્રમાણે જ છે. • . પ્રશ્ન ૧૨૮૮–ઉત્તરાધ્યયન અ. ૨૦ ગાથા ૧પદ-૨ “શલ્ય ઘારું ત” નો અર્થ શું છે? - ઉત્તર-પૂછેલા પ્રશ્નની ગાથાનો પૂરા ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે–પ્રાર્થના કરવા ગ્ય ધર્મનું જ્ઞાન કરાવનાર સાચી શિક્ષા હું કહીશ, માટે તમે મારી પાસેથી આ શિક્ષાને સાંભળો. પ્રશ્ન ૧૨૮૯ -સમૂછિમ મનુષ્યને વિરહ ૨૪ મૂહર્ત છે તે કઈ અપેક્ષાએ કહ્યું છે? કારણ કે ગર્ભજ મનુષ્ય સદા કાળ છે. અને તેમની અસુચીમાં એક મુહુર્ત પછી અસંખ્યાત ગુણુ સમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પરંપરા કહે છે, તે પછી વિરહ કઈ અપેક્ષાથી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy