SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૭૮ –શ્રી અમલક રષિજી મહારાજ કૃત પનવણના પૃષ્ઠ ૨૬૦ મા ત્રસકાયના પર્યાપ્તથી અપર્યાપ્તા અસંખ્ય ગુણ બતાવ્યા છે, જ્યારે અમદાવાદ વાળા પન્નવણુના પૃષ્ઠ ૩૬૯ માં ત્રસકાયના પર્યાપ્તથી અપર્યાપ્તા સંખ્યાત ગુણ બતાવ્યા છે, આ બંનેમાંથી સાચો અર્થ કે છે? ઉત્તર –ત્રસકાયના પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્ય ગુણ છે. તેથી જેઓ અસંખ્ય ગુણ કહે છે તે જ બરાબર છે.. –પ્રશ્ન ૧૨૭૯-મરણના અંતિમ સમયમાં કેવળ સમુદઘાત ક્યારે થાય છે, અંત મુહુત બાકી રહે ત્યારે થાય છે કે તે પહેલાં થઈ શકે છે? ઉત્તર –કેવલી-સમુદઘાત મરણાંતના અંતમુહુર્ત પહેલાં જ થાય છે, અધિક પહેલાં નહિ. આ બાબત સગી ભવસ્થ કેવલી અનાહારકનું જે અંતર જીવાભિગમમાં બતાવ્યું છે, તેથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૨૮૦ –મિશ્ર સમકિતની સ્પષ્ટ વ્યાખ્યા શી હેઈ શકે છે? આઠમી ગાથાને અર્થ શું છે? ઉત્તર –જેવી રીતે નાલિકેર દ્વીપના મનુષ્યને અન્ન ઉપર અત્યંત આદર તથા અપ્રીતિ નથી થતી એવી જ રીતે મિશ્ર–મોહનીય કર્મના ઉદયથી જિન વચને ઉપર આવ્યંતર રૂચી રૂ૫ રાગ, અને આભ્યન્તર અરૂચિ રૂપ દ્વેષ એ બંને થતા નથી. - તેમાં મિથ્યાત્વના દળીયાનાં ચૌઠાણિયા અને તિઠાણિયાને રસ ન રહેતાં બેઠાણિયા રહે છે. (સમક્તિ મેહનીયમાં તે બે ઠાણિયા રસ પણ હડી જઈને માત્ર એક ઠાણિયા રસ જ રહે છે.) જુદા જુદા શ્વાસોશ્વાસ રૂપ અંતમૂહુર્તની તેની સ્થિતિ હોય છે. તેમાં જીવ મરણ પામતો નથી અને આયુષ્ય કર્મ પણ બાંધતો નથી. આ મિશ્ર ગુણ સ્થાનરૂપ મિશ્ર સમકિત સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં જ હોય છે. સમકિત પ્રાપ્ત થયા પછી જ મિશ્રસમક્તિ પ્રાપ્ત થાય છે, તેથી મિશ્રવાળે જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળની અંદર અવશ્ય મેક્ષમાં જાય છે. પ્રશ્ન ૧૨૮૧ –સૂત્રકૃતાંગ સૂત્રના બીજા અધ્યયનથી ત્રીજા શતકની આઠમી ગાથાનો અર્થ શું છે? ઉત્તરઃ–પૂછેલા પ્રશ્નની ગાથાને અર્થ આ પ્રમાણે છે. આ મૃત્યુલેકમાં અન્ય વસ્તુઓની વાત જ શી છે? સમસ્ત સુખનું સ્થાન પોતાના જીવનને જ પહેલા દેખે. આ જીવન અનિત્ય છે અને અવચિમરણથી દરેક ક્ષણે વિનાશી છે. સમસ્ત આયુષ્ય ક્ષીણ થતાં અથવા અધ્યવસાન [ અત્યંત હર્ષ અને વિષાદને કારણે ખૂબ ચિંતા કરવી ] નિમિત્ત સ્વરૂપ ઉપક્રમને કારણે કઈ [સેપક્રમવાળા] શતાયુ પુરુષ પણ યુવાવસ્થામાં [ આયુષ્ય સમાપ્તિ પહેલાં આયુષ્યના ત્રીજા ભાગમાં જ મરી જાય છે. અથવા નિરૂપક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy