SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો | ૧૬૩ કરોડ પણ કહી શકાય છે. તથા તેથી આગળ અસંખ્ય વર્ષ સુધીના પણ હોઈ શકે છે. તેથી જ્યાં જેએ પ્રસંગ હોય ત્યાં તેવું સમજવુ જોઈ એ. પ્રશ્ન ૧૨૭૪ —સિદ્ધશિલાને સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્યાની સુખકારી’”નું વિશેષણુ આપ્યુ છે. પૃથ્વીકાય હોવા છતાં તેએ સવ વાતા સુખકારી કેવી રીતે હોઈ શકે છે ?. ઉત્તર ઃ- સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વેને ઉપદ્રવકારી ન હોવાથી સિંધ્ધશિલાને સુખ આપવાવાળી બતાવી છે. ત્યાં ઉત્પન્ન થનારા સર્વ જીવેની આ પૃથ્વી સુખકારી છે. કારણ કે ત્યાં ઠંડી વગેરે દુઃખના અભાવ છે. અર્થાત્ ત્યાં ઠંડી વગેરે દુઃખનું કારણ ન હોવાથી તેને સૌ કોઇને સુખ આપનારી બતાવી છે. *, પ્રશ્ન ૧૨૭૫ —ભાવ મન રૂપી છે કે અરૂપી ! જો અરૂપી હયિ ત સિદ્ ભગવાનને પણ હોવું જોઈએ. પરન્તુ તેમને તે નથી? ઉત્તર : —ભગવતી સૂત્રના શ. ૧૩ ઉ. ૭ માં મનને આત્માથી અન્ય, રૂપી, અચિત, અજીવ સ્વરૂપ વગેરે બતાવ્યું છે. તથા ૧૨ મા શતકના ૫ મા ઉ. માં મનને ચારસ્પશવાળુ રૂપી બતાવ્યુ છે. એ જ ઉદ્દેશામાં લેસ્યા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં લેશ્યાના ભેદ કરીને ભાવલેશ્યાને અરૂપી અને દ્રવ્ય લેસ્યાને આઠ સ્પવાળી રૂપી બતાવી છે. ’જો’આ અંતર મનના ભેદોમાં પણ હોત તો અવશ્ય ભેદ કરવાનું ફરમાવતું, પરંતુ એમ ન કહેતા માત્ર રૂપી જ બતાવી છે. પન્નવણા તથા નદીની ટીકામાં દ્રવ્યંમન [મનના ગ્રહણ કરેલા પુદ્ગલ] ભાવમન વગર પણ હોઇ શકે છે. પરંતુ ભાવમન [તે ગ્રહણ કરેલા પુદ્ગલોથી મનન કરવું] દ્રવ્યમન વગર હોઇ શકતું નથી એવુ બતાવ્યું છે. ઈત્યાદિ પ્રમાણેાથી જોતા ભાવમન પણ રૂપી હોવાનું સમજાય છે. ન e, પ્રશ્ન ૧૨૭૬ :—ભાવલેશ્યાને કયા આધારે અરૂપી બતાવી છે? ઉત્તર :—કૃષ્ણાદિ દ્રવ્યોના સંબધથી થનાર આત્માના ણિામ વિશેષને ભાવલેશ્યા કહે છે. ભાવલેશ્યા પરિણામ સ્વરૂપ હોવાથી અરૂપી બતાવી છે. # પ્રશ્ન ૧૨૭૭ :-દશવૈકાલિક અધ્યયન ૮, ગાથા ૬૧, ને અથ ગુણાનુ પાલન કરવાનું કહ્યુ` છે કે હ્રાનું પાલન કરવાનુ કહ્યું છે? ઉત્તર :—પૂછેલાં પ્રશ્નની ગાથાના અથ નીચે પ્રમાણે સમજવા. જે શ્રદ્ધાથી તથા વૈરાગ્યભાવથી ઉત્તમ ચારિત્રના સ્વીકાર કર્યાં છે; તે જ શ્રદ્ધા તથા પૂ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણામાં અનુરક્ત રહીને સાધુઓએ સચમધમ નું યથાર્થ પાલન કરવુ જોઈ એ. અર્થાત્ એ જ શ્રદ્ધાથી ગુણાનુ પાલન કરવાનુ મતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy