SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૬૧–સમ્યગદષ્ટિને અર્ધ પુદગલ દેશેઊણે કાળ બતાવ્યું છે, તે અધર પુદ્ગલ, ઔદાયિક આદિ પુદગલ પરાવર્તનમાંથી કેને સમજ?. ઉત્તર –બાકીનાં બધા પુદ્ગલ પરાવર્તનોથી ક્રિય પુદ્ગલ પરાવર્તનને કાળ વધારે છે. તેથી શામાં જ્યાં જ્યાં અર્ધ પુદ્ગલ તથા અઢી (૨3) પુદ્ગલ પરાવર્તનનું વર્ણન છે, ત્યાં વેકિય પુદ્ગલ પરાવર્તનને હિસાબ જ સમજે જોઈએ. પ્રશ્ન ૧૨૬૨ –સકામ-નિજરામાં કર્મોના પુદ્ગલ નિજર્યા પછી પાછળ કર્મરૂપે લાગતા નથી એવું કથન છે તે તેનું પ્રમાણ શું છે. તથા મિથ્યાત્વમાં ગયા પછી પણ ઉપરોક્ત ક્રમ જ ચાલુ રહે છે કે નિર્જરેલાં પુદ્ગલ પાછી લાગવા લાગી જાય છે. ઉત્તર –જે કર્મ પુદ્ગલેની નિર્જરા સમ્યગદષ્ટિપણમાં થઈ હોય તે પુદ્ગલ ફરીથી કમરૂપે એ જીવને મિથ્યાત્વ આદિ કેઈપણ અવસ્થા પ્રાપ્ત થતાં પણ લાગતા નથી એવું મહાસતીજી શ્રી પાનકુંવરજી તથા શ્રી ઈદ્રમલજી પાસેથી સાંભળ્યું છે. તેનું વર્ણન ઘણું કરીને દિગમ્બર ગ્રંથમાં હશે કવિ બનારસીદાસની નીચેની કવિતા આ વાતને સ્પષ્ટ કરે છે. જ્ઞાનીજનને ભોગ નિર્જરા હેતુ છે ! અજ્ઞાનીને ભેગ બંધ ફળ હેતુ છે ! આ અચરજની વાત હૈયે આવતી નથી ! પૂછે કઈ શિષ્ય ગુરુ સમજાવશે” વેતામ્બર ગ્રંથમાં પણ એવું વર્ણન કયાંક હશે પરંતુ મારા ધ્યાનમાં નથી, હા “ત્રરત્ રાત્રિશિવા(૧૫ મિ), ગબિન્દુ, દર્શનશુદ્ધિ વગેરે ગ્રંથમાં વર્ણન આવેલ છે કે સમકિત પ્રાપ્ત થયા પછી મિથ્યાત્વ અવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ અંતઃકટીથી અધિક કમેને બંધ થતું નથી. નેટ:- આ શાસ્ત્રકારોને મત છે. કર્મગ્રંથકાર તે સ્થિતિબંધ થવાનું બતાવે છે. પરંતુ તેમના મતથી પણ સારું પરિણામ હેવાને કારણે તે પ્રકારનાં રસને અભાવ તે રહે જ છે, એવું અભિધાન-રાજેન્દ્ર કેષ ભાગ સાત પ્રશ્ન ૫૦૫માં બતાવ્યું છે. પ્રશ્ન ૧૨૬૩ –રૂપી અજીવના પ૩ ભેદ કેવી રીતે સમજવા? જે વર્ણવાળા છે તેનામાં ગંધ આદિ કેઈ ને કઈ હશે જ, અને ગંધવાળામાં વર્ણાદિ હશે, તો તેને ભિન્ન ભિન્ન કેમ સમજવા? ઉત્તર :–ભગવતી શતક ૨૦ ઉ૦ ૫ પ્રમાણે બાદર અનંતપ્રદેશી સ્કંધ, જઘન્ય એક વર્ણ, એક ગંધ, એક રસ અને અવિરથી ચાર સ્પર્શવાળા અને ઉત્કૃષ્ટ બધાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy