SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] સમર્થ સમાધાન ઉત્તર –તેની વાત તે જ્ઞાતાસૂત્રનાં પ્રથમ અધ્યયનનાં મૂળ પાઠમાં છે. એ જ પ્રમાણે લગ્નનાં પ્રસંગે ની રક્ષા માટે ભગવાન નેમીનાથનું પાછા ફરવું, ઉત્તરાધ્યયનનાં ૨૨ મા અધ્યયનમાં છે, તથા ધર્મરૂચિ અણગારે કડવી તુંબને આહાર કર્યો તે પણ જ્ઞાતાસૂત્રનાં સેળમા અધ્યયનના મૂળ પાઠમાં બતાવ્યું છે. ઈત્યાદિ અનેક શાસ્ત્રીય વાતે જોતા જેની રક્ષા કરવી એ ધર્માનુકૂળ છે. સંક્ષેપમાં આ ઉત્તર છે. વધારે માટે સિદ્ધાંતસાર, સદ્ધર્મમંડન, અનુકંપા વિચાર વગેરે જેવા. પ્રશ્ન ૧૨૫૫ –જે તીર્થકરને કેવળી વંદના, વિનય પ્રવૃત્તિ કરે છે, એ માટે આપે ઉત્તરાધ્યયનની કથાનું પ્રમાણ આપ્યું છે. તે તે કઈ કથા છે, તથા હ્યું અધ્યયન કે ક્યું પૃષ્ઠ છે? ઉત્તર :–ઉત્તરાધ્યયનનાં દશમા અધ્યયનને મૂળપાઠ શરૂ થતા પહેલા જ ટીકાકારે જે સાલ, મહાસાલ, ગાંગલી વગેરેની કથા આપી છે. તેથી કેવળી, તીર્થકરને શીરગુકવવું, પ્રદક્ષિણારુપ વિનય પ્રવૃત્તિ કરે છે, એવું સિદ્ધ થાય છે. એવાયરિયં વિચિઠ્ઠઓજા અણુત નાગવિસંત” દશવૈકાલિક અધ્યયન નવ, ઉદેશે એક, ગાથા અગિયારના આ પાઠથી કેવળી છદ્મસ્તોને વંદન કરે એવો અર્થ ધ્વનિત થાય છે. તથા રાજચંદ્રજીનાં દુહામાં પણ કહ્યું છે કે જે સદ્દગુરુ ઉપદેશથી, પાયે કેવળ જ્ઞાન | ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન” | પ્રસંગોપાત છદ્મસ્થને પણ કેવળી ભગવંત મસ્તક નમાવવારૂપ વિનય પ્રવૃત્તિ કરે છે. તે પછી તીર્થકરેની વિનય ભક્તિ કરે તેમાં આશ્ચર્ય જ શું ! પ્રશ્ન ૧૨૫૬ –મલ્લિનાથ ભગવાને સ્ત્રી–ગેત્ર કયા ગુણસ્થાનમાં બાંધ્યું? પહેલા ગુણસ્થાનમાં તે નપુંસક વેદને બંધ પડે છે. અને બીજામાં ૨૧ પ્રકૃતિએને બંધ કરે છે. ત્યાં સ્ત્રીવેદન બંધ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર ૧૩ પ્રકૃતિઓનો બંધ થાય છે તે મલ્લિનાથ ભગવાન તે છઠ્ઠા ગુણસ્થાનમાં હતા. જ્યાં સ્ત્રી વેદ સંભવિત નથી લાગતું? ઉત્તર :–મલિનાથ ભગવાનને જીવ મહાબળ-અણગારનાં સમયમાં સ્ત્રી–નામ-શેત્ર કર્મનો બંધ થએ તે વખતે પહેલા અથવા બીજા ગુણસ્થાનકમાં બંધ થયે એમ સમજવું જોઈએ. મિથ્યાત્વ અને અન્તાનુબંધીના નિમિત્તથી સ્ત્રી નામ કર્મને બંધ થાય છે. આ પ્રકારના ભાવ જ્ઞાતાધર્મ કથાંગના આઠમા અધ્યયનની નીચેની ટીકાથી સ્પષ્ટ થાય છે. " तत्काले च मिथ्यात्वं सास्वादन वा अनुभूतवान, स्त्रीनाम कर्मणो मिथ्यात्वानन्तानुવધી પ્રચવા ” આ પહેલા અથવા બીજા ગુણસ્થાન સંબંધી ભાવ સાધુ થયા પછી તપસ્યામાં માયા કરવાથી થયું છે, અને ત્યારે જ સ્ત્રીનામ કમને બંધ થયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy