SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે પ્રશ્ન ૧રપ૧ –વાડામાં આગ લાગી હોય અને શ્રાવક બાજુમાં ન હેય તે પશુઓની અનુકંપાને માટે સાધુ તેના બંધનેને કાપીને વાડામાંથી તે પશુઓને બહાર કાઢી શકે છે કે નહીં? ઉત્તર:–આવી પરિસ્થિતિમાં સાધુ, પશુઓને બહાર કાઢી શકે છે. તેને ખુલાસે નિશીથના બારમા ઉદ્દેશાના ભાષ્યમાં છે. પ્રશ્ન ૧૨૫૨ –છદમસ્થ ભગવાનથી ભૂલ થતી નથી તે પછી ઉપદેશ કેમ નથી દેતા? ઉત્તરઃ—તીર્થકર, કેવળી થયા પછી જ તેમની આપેલી ત્રિપદીથી વિશેષ પશમવાળા પુરુષ દષ્ટિવાદની રચના રચી શકે છે અને દષ્ટિવાદની રચના રચવાથી તેમને ગણધરપદની પ્રાપ્તિ થાય છે; તથા ચારતીર્થની સ્થાપના પણ ત્યારે જ થાય છે. પૂર્ણજ્ઞાનના અભાવે તેઓ તીર્થ સ્થાપિત કરતા નથી પરંતુ આ વાત ઉપરથી તેઓની ભૂલ છે. એવી મિથ્યા કલ્પના કરીને આ જ કારણે તેઓ ઉપદેશ આપતા નથી, એવું બતાવવું અસંગત જણાય છે. કારણ કે દિક્ષા લીધા પછી છદ્મસ્થ તીર્થંકરની પણ ભૂલ થતી નથી. આ વાત ભગવતી સૂત્રના પચીસમા શતક પરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે તથા મહાવીર સ્વામી ભૂલ્યા નથી એ આચારાંગ સૂત્રના નવમા અધ્યયનથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૨૫૩ –જે પ્રમાણે ગે શાળાની–ભગવાને શીતલેશ્યા વડે રક્ષા કરી, તે જ પ્રમાણે અન્ય તીર્થકરે તથા મુનિએાએ પણ રક્ષા કરી હશે! પ્રમાણ સાથે સમજાવશે? ઉત્તર : જે પ્રમાણે ગૌશાલકની રક્ષા ભગવાને કરી એ જ પ્રકારે અનેકની રક્ષા તીર્થ કરે તથા મુનિઓએ પહેલાં કરી છે. ઉદાહરણ તો પ્રસંગ આવતા ગણધર ફરમાવે છે. ઉદાહરણ ન હોવા છતાં પણ અનેક વાત માનવા યંગ્ય હોય છે, જેમકે લેકાંતિક દેવમાંથી તથા સૂમ પૃથ્વીકાય વગેરેમાંથી કોઈને આવ્યાનું તથા તેમાં ઉત્પન્ન થયાનું ઉદાહરણ મળતું નથી તો પણ તેમાંથી આવવું તથા તેમાં ઉત્પન્ન થવું માનવામાં આવે છે, એજ પ્રમાણે સાધ્વીને દાન દેવાથી સંસાર પતિ કર્યાનું પણ ઉદાહરણ વિના જ માનીલેવામાં આવે છે. તેથી અહીં બીજું ઉદાહરણ ન મળતાં પણ માનવું જોઈએ. અહીં તે વલંત ઉદાહરણ એ છે કે, કેવળી થયા પછી ભગવાને ફરમાવ્યું કે મેં અનુકંપા કરીને ગોશાલકનું રક્ષણ કર્યું. જે મેહ અથવા ભૂલ વગેરેથી કરતા તે કેવળી એવું શા માટે કહેત તથા બીજાઓને એવું કરવાને નિષેધ પણ કરી દેત એટલે ગૌશાલકને જે બચાવ્યા તે કેવળી અભિમત છે, એમ સમજવું. પ્રશ્ન ૧૨૫૪ –સસલાંની દયા કરવાવાળા હાથીની કથા, કેવળ ગ્રંથકાર જ કહે છે કે શાસ્ત્રકાર પણ કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy