SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] સમર્થ–સમાધાન ઉત્તર-પુણ્યનબંધ જે કાર્યોથી થાય છે તે કાર્ય ત્રણેય પ્રકારનું જણાય છે. તેથી તે કાર્યોની અપેક્ષાથી જે ગણે, તે પુણ્ય સાવદ્ય આદિ ત્રણેય પ્રકારનું હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૪૯ –શ્રીદેવીના કેમેલના વર્ણનમાં જબુદ્વીપ પ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારમાં પદ્દમદના વર્ણનમાં શ્રી દેવીનું તથા તેના પરિવારનું વર્ણન છે ત્યાં કમલના વર્ણનમાં મૂલકંદનું વર્ણન કર્યું છે. कमलान्यत्र न वनस्पति परिणामानि किन्तु पृथिवीकाय परिणामरूपा कमलाकार वृक्षास्तेन તેષાભિનૌ () નં વિદ્યાવિતિ, ત્યારબાદ સે ળની ટકામાં લખે છે કેવાનરતિનિ પદ્મ દરવાજા પદ્મનિ વહૂનિતિ, નતુ દેવ ઉર્થવાન” તે વનસ્પતિ સંબંધી કમલ આપણે માનીએ છીએ કે નહિ ? ઉત્તરઃ–પદ્મદના ૧, ૨૦, ૫૦, ૧, ૨૦, એટલા કમલ તો પૃથ્વીકાયના છે, અને તે શાશ્વત છે. આસપાસમાં વનસ્પતિના કમલ પણ હોય છે, તે અશાશ્વત છે. પ્રશ્ન ૧૨૫૦ –તેરાપંથી દયા દાન, પુણ્ય વગેરેનો નિષેધ કયા શબ્દોને લઈને કરે છે? ઉત્તર –તેઓ કહે છે કે જીવને બચાવીએ તે તે બચેલે જીવ જે કોઈપણ કરશે તેની અનુમોદના રૂપ-પાપ તે બચાવનારને લાગશે. એટલા માટે તેઓ મારનારને એક પાપ અને બચાવનારને ૧૮ પાપ લાગવાનું પણ કહે છે. જીવનું જીવિત રહેવું અને મરવાનું નહીં, પરંતુ તરી જવાનું ઈચ્છવું, એમ કહે છે. વનસ્પતિ વગેરે જેની વિરાધનાને જેઓ ત્યાગ કરે છે. તેમાં તેઓ કહે છે કે, અમે જીવોને બચાવવાને માટે ત્યાગ કરતા નથી. અમારા ત્યાગમાં જેને બચાવવાનો ઉદ્દેશ નથી. જીવનું જીવિત રહેવું અને મરવું, તે તેમના કર્મને આધીન છે. અમે તો કેવળ અમારા પાપ છેઠવાને માટે જ ત્યાગ કરીએ છીએ. જીતે નહીં મારીને પિતાનું પાપ ટાળવું એજ દયા છે, વગેરે શબ્દોથી તેઓ દયાને નિષેધ કરે છે. ભારતના સાધુઓમાં તેરાપંથી સાધુઓ ઉપરાંત બીજાઓને તેઓ સાધુ માનતા નથી. સાધુએ સિવાય બધાં સંસારી જીને તેઓ અસંયતિ કહે છે. અને અસંયતિને દાન દેવાથી એકાંત પાપ, અધર્મદાન, કર્માદાન, નકદિ દુર્ગતિનું કારણ બતાવીને દાનને નિષેધ કરે છે. - ઉપરોક્ત વિચાર અનુસાર તેઓ તેરાપંથી સાધુએ સિવાય બીજાને આપેલા દાનથી પુણ્ય માનતા નથી. તથા પુણ્યકર્મ પણ સંસારમાં રોકનાર છે. તેના ક્ષય વિના મુક્તિ નથી. તે ત્યાગવા ગ્ય છે. વગેરે પ્રકારથી તેને નિષેધ કરે છે. તેમની માન્યતાઓનું વિશેષ-વિવરણ તેમને બનાવેલ “બ્રમ વિધ્વંસન” નામના ગ્રંથમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy