SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] સમર્થ–સમાધાન ઉત્તર:–આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનની ૧૨ મી ગાથામાં પુદ્ગલેના લક્ષણ બતાવ્યા છે. અલકમાં પુદ્ગલ નથી તેથી ત્યાં પ્રકાશ કે અંધકાર નથી. ત્યાં તો માત્ર આકાશ છે. પ્રશ્ન ૧૨૦૨ –“સાઠ ભક્ત અનશનનું છેદન કરી સંથારે કર્યો આ શબ્દોને શો આશય છે? ઉત્તર-સંથારો કરનાર તે જાવજીવન સંથાર કરે છે, પરંતુ જેટલા દિવસ સંથારો ચાલ્યું હોય એટલા દિવસને સંથારે પ્રભુ કહે છે. એટલે ૬૦ ભકતને આશય ૩૦ દિવસને સંથારો આવ્યો એમ સમજવું. (આણી ગણત્રીએ ૨૯ દિવસ) પ્રશ્ન ૧૨૦૩ -દેશથી મરણાંતિક સમુદઘાત-આહાર લઈને ઉત્પન્ન થવી, સર્વથી મરણાંતિક સમુદઘાત ઉત્પન્ન થતાં આહાર લેવો, આ કેવી રીતે સમજવું? અમારી ધારણું તે એ છે કે આહાર લીધા પછી ઉત્પન્ન થાય છે. ઉત્તર :–જે આત્માના સઘળા પ્રદેશે મૃત્યુ સમયે એકી સાથે ઉત્પત્તિ સ્થાન તરફ ચાલ્યા ગયા હોય, તે ત્યાં ઉત્પન્ન થઈને પછી આહાર લે છે, પરંતુ જે કેટલાક પ્રદેશ ઉત્પત્તિ સ્થાન પર ચાલ્યા ગયા હોય, અને કેટલાક પ્રદેશ શરીરમાં રહી ગયા હોય, તે આવી સ્થિતિમાં, પાછળના પ્રદેશ છૂટી જતાં, આગળના પ્રદેશ આહાર લેવાનું શરૂ કરી દે છે. પાછળના પ્રદેશે આવતાં જ ઉત્પન્ન થયાનું ગણાય છે. એટલે ઉત્પન્ન થઈને આહાર લેવે અને આહાર લઈને ઉત્પન્ન થયું એ બંનેય વાત બરાબર છે. આ પ્રશ્ન ૧૨૦૪ –એકેન્દ્રિય એકેન્દ્રિયને આહાર કરે છે, અને બેઈન્દ્રિય બેઇન્દ્રિયને, એવી રીતે પાંચે ઈન્દ્રિયોનું કેવી રીતે સમજવું ? ઉત્તર:–એમ તે આહાર માટે, બહારથી ગ્રહણ કરવામાં આવતાં પુદ્ગલ, એકેન્દ્રિય આદિ જીવના શરીરથી છૂટેલા જ હોય છે પરંતુ ખાસ તો તૈજસ શરીર વડે પદગલ આહાર રૂપે પરિણત થાય છે તેથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જ પિતાપિતાના તેજસ શરીરના જ પુદ્ગલે આવવાથી, તિપિતાના શરીરને બહાર રાજુ સૂવ નયની અપેક્ષાએ કહ્યો છે. પ્રશ્ન ૧૨૦૫ – ક્ષુધાનો અનુભવ થતાં શેને આહાર કરે છે? તેમની સુધા કઈ રીતે શાનત થાય છે? * ઉત્તર – દેવેને મનેભક્ષી આહારની ઈચ્છા થતાં, તથાવિધ શુભ કર્મોદયથી તત્કાલ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મગ્ન આદિ પુદ્ગલ મને ભક્ષીપણે પરિણત થાય છે, તે પુદ્ગલેથી તે દેવ મનની ઈચ્છા પૂર્ણ કરી લ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy