SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૪૫ પ્રશ્ન ૧૨૦૬ : જયાતિષી અવધિજ્ઞાનમાં જ, ઉ, સખ્યાતા જ કેમ આવ્યુ કે તેઓ સખ્યાતા દ્વીપ સમુદ્ર દેખી શકે છે. જ. તથા ઉ. એક જ કેમ આવ્યુ' ? ઉત્તર ઃ—જ્યાતિષીઓની જઘન્ય સ્થિતિ, પલ્યાપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષોંથી અધિક એક લ્યેાપમની છે, પલ્યાપમના સંખ્યાતમા ભાગથી, અનેક પલ્યેાપમની સ્થિતિવાળા દેવાને અવિધજ્ઞાનમાં સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખવાની શક્તિ જ હાય છે, તેથી જ્યાતિષ દેવ જ. ઉ. સંખ્યાત દ્વીપ, સમુદ્ર જ દેખી શકે છે. પરન્તુ ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સખ્યાતામાં ભેદ અવસ્ય સમજવે. પ્રશ્ન ૧૨૦૭ :—અઢીીપની બહાર વરસાદ થતા નથી, તે ત્યાંના તીય ચેા શેને આહાર કરે છે? ઉત્તર :—અઢી દ્વીપની બહાર અનેક જગ્યાએ પૃથ્વીમાંથી પાણી નીકળે છે તેનાથી તથા કેટલીક જગ્યાએ પર પૃથ્વીની સરસતાને કારણે વનસ્પતિ પેદા થાય છે. તેથી તે તીય ચાને આહારમાં ખાસ કઠિનતા જણાતી નથી. પ્રશ્ન ૧૨૦૮ :—જબુદ્વીપના માનચિત્રમાં હિંદુસ્થાનનું નામ જ નથી, તેનુ શું કારણ ? ઉત્તર :—‘હિંદુસ્તાન’ આદિ નામેાનુ પ્રસંગોપાત પરિવર્તન થતુ રહે છે. તેથી શાસ્ત્રકાર તેને કેમ ખતાવે ? ભારતનું નામ તેા શાસ્ત્ર તથા માનચિત્રમાં બતાવ્યું જ છે. પ્રશ્ન ૧૨૦૯ :—આપણા જીવે કેટલા તી કર અને કેવળીઓનાં વ્યાખ્યાન સાંભળ્યા ? ઉત્તર : અનંત તીથંકર અને કેવળીએના વ્યાખ્યાન આ જીવે સાંભળ્યા છે, એવુ આગમથી સ ંભવિત જણાય છે. પ્રશ્ન ૧૨૧૦ :—સૌધમ-ઈશાન દેવલાકમાં વિમાન ૫૦૦-૫૦૦ ચેાજનના ઉંચા છે. આ ચેાજન ચાર હજાર ગાઉનું સમજવુ' કે ચાર ગાઉનું...? ઉત્તર :—વિમાનની ઉંચાઈ વગેરે શાશ્વત (૪૦૦૦ ગાઉ ) યેાજનથી સમજવી. પ્રશ્ન ૧૨૧૧ ઃ પરમાધામી દેવ પહેલી નરકમાં રહે છે કે ત્રીજી નરક સુધી ? તેમની દેવીએ કયાં રહે છે? તેના ખુલાસે કયા સૂત્રમાં છે ? ઉત્તર :—અસુરકુમાર દેવાના નિવાસ સ્થાન પહેલી નરકમાં છે. એવું પન્નવણાના બીજા પદમાં અને ભગવતી શતક છે, ઉદ્દેશા ૮ થી સ્પષ્ટ થાય છે. પરમાધામી દેવ અસુરકુમાર જાતિના છે. તેથી તેમનું તથા તેમની દેવીએનુ' નિવાસસ્થાન ત્યાં જ સમજવુ' જોઈ એ, તેમનું ગમન—આગમન ત્રીજી નરક સુધી બતાવ્યુ છે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy