SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૪૧ નો બાદર છે. તેનાથી બાદર (વનરપતિ શ્રી ) અનંત ગુણ અને તેનાથી પણ સુક્ષ્મ (વનસ્પતિ આદિ) અસંખ્ય ગુણ સમજવા જોઈએ. પ્રશ્ન ૧૧૮૬ –પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાથી આત્મા અપ્રદેશીય અને એક સમયથી અધિક નારકી સપ્રદેશી કેવી રીતે ? આત્મા જે સમયે પરલોકમાં જાય છે, તેના પહેલા સમય સુધી શું તે અપ્રદેશીય રહે છે? ઉત્તર –જેને એક પ્રદેશ હોય, તેને અપ્રદેશી કહે છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે. તેથી તે હંમેશા સપ્રદેશી ગણાય છે. પરન્તુ અહિંયા કાળની અપેક્ષાએ પ્રશ્ન કર્યો છે, એટલા માટે જીવન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવવામાં એક સમય જ થયે હોય, આવી સ્થિતિમાં તે અવસ્થા આશ્રી કાળની અપેક્ષાએ અપ્રદેશ અને એકથી વધારે સમય થયું હોય અથવા તે અવરથા અનાદિ હોય, તો તેને સદેશી કહે છે. જેમકે કોઈ મનુષ્ય મરીને નરકમાં ગયે, તેને નરક પર્યાય પ્રાપ્ત થયાને એક સમય થયો હોય, તે, તે પર્યાય આશ્રી કાળની અપેક્ષાએ અપ્રદેશી અને અધિક સમયની અપેક્ષાએ સપ્રદેશી કહેલ છે એ પ્રમાણે અન્યાન્ય પર્યાની અપેક્ષા છે. પ્રશ્ન ૧૧૮૭ :–છ આંગળને એક પગ કેવી રીતે સમજવો? ઉત્તર :–જે સમયે જે મનુષ્ય હોય છે તેને અંગુલથી તેના પગ છ આંગળા પહોળા બતાવ્યા છે. પ્રશ્ન ૧૧૮૮ :—કેશી-ગૌતમ પૃછામાં આવ્યું છે કે હવામાં વજન નથી પરંતુ તે કેમ માનવું કે તેમાં વજન નથી? ઉત્તર :–રાજા પ્રદેશ અને કેશી મહારાજની પૃચ્છામાં જે હવામાં વજન બતાવ્યું નથી તે વ્યવહાર–નયની અપેક્ષાથી સમજવું. પ્રશ્ન ૧૧૮૯–દેવ અને નારકી, અવતી અને અપચ્ચખાણું કેમ છે ? અભવી પણ અપચ્ચખાણ છે શું ? ઉત્તર :–-દેવ અને નારીને અપ્રત્યાખ્યાન કષાય હઠતી નથી. તે હઠયા વગર વ્રતપ્રત્યાખ્યાન આવતા નથી. તેથી તેને અવતી અને અપ્રત્યાખ્યાની કહ્યા છે. અભવ્યને તે અનંતાનુબંધી કષાય હેવાથી તેને સમક્તિ પણ હોતું નથી તે પછી પ્રત્યાખ્યાન આવવાની વાત જ કયાં ? પ્રશ્ન ૧૧૯૦ –ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી નગરીમાં જ વધારે વખત કેમ રહ્યા ? તેમને રાજગૃહી પર મેહ હતો શું ? ઉત્તર:–ભગવાન મહાવીર વિતરાગી હતા. તેમને મેહ કેઈન ઉપર પણ ન હતે. જયાં અધિક ઉપકારનું કારણ તથા ક્ષેત્ર-સ્પર્શના હોય ત્યાં વધારે સમય બિરાજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy