SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૩૯ ઉત્તર-પૂર્ણ ચંદ્રાકાર એક લાખ એજનને જંબુદ્વીપ છે. તેની ચારે બાજુ (તરફ) બે બે લાખ યાજનને લવણ સમુદ્ર આવેલો છે. તેથી લવણ સમુદ્રના પૂર્વ કિનારાના અંતથી પશ્ચિમકિનારા સુધીને અંત પાંચ લાખ જન થઈ જાય છે. એ જ પ્રમાણે દક્ષિણ ઉત્તરના કિનારાને અંત પણ સમજી લેવું જોઈએ. એક મહા પાતાલલશ તે જબુદ્વીપની પૂર્વ તરફ અને લવણ સમુદ્રના મધ્યભાગમાં આવેલું છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ દિશાઓમાં આવેલા છે. તે કળશ લાખ લાખ એજનના ઉંડા છે, તેમનું હોં પૃથ્વીની બરાબર આવેલું છે. અને દસ દસ હજાર યોજનના પહેલા છે. જંબુદ્વીપ અને ધાતકી ખંડ તરફ પંચાવન હજાર એજનની જમીન છૂટી છે. તેથી તે કળશ તે સુગમતાથી સમાયેલાં છે. આ ચાર મહાપાતાલ-કળશા ઉપરાંત સાત હજાર આઠસે ચેર્યાસી (૭૮૮૪) નાના પાતાળકળશા પણ લવણ સમુદ્રમાં સમાયેલાં છે. લવણ સમુદ્રની પૃથ્વી વિશાળ હેવાથી કેઈપણ જાતની હરક્ત નથી. પ્રશ્ન ૧૧૭૯ –ઈશાનેન્દ્ર અજ્ઞાન તપ કર્યો છતાં પણ તેઓ આવતા ભવમાં આરાધક થઈને મેક્ષમાં કેવી રીતે જઈ શકે? ઉત્તર:–જીવ મિથ્યાત્વીમાંથી સમ્યગ્દષ્ટિ બનીને ફરીથી જ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના કરીને એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. તો પૂર્વભવને મિથ્યાત્વી, આ ભવમાં આરાધના કરીને મોક્ષમાં જાય એમાં હરકત શી છે? તામલી તાપસ માટે તે ગ્રંથમાં એવું વર્ણન છે કે તેણે જૈન મુનિને જોઈને સમક્તિ મેળવી લીધું અને પછી ઈશાનેન્દ્ર થયા. પ્રશ્ન ૧૧૮૦-છઠ્ઠા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી શુકલ લેશ્યા હેય છે. તે શું તેમના પૂરાં આયુષ્ય સુધી મનનાં પરિણામ શુદ્ધ રહે છે? ઉત્તર દરેક દેવ અને નારકને ઉત્પન્ન થતી વખતે જે દ્રવ્ય લેશ્યા હોય છે એ જ દ્રવ્ય લેહ્યા તેમના જીવન પર્યત રહે છે. દ્રવ્યલેશ્યા કેઈ પણ દેવ, નારકીના જીવનમાં પલટાતી નથી. પરંતુ ભાવ લેસ્થા અનેકવાર પલટાય છે. તીર્થંચ અને કેવલીએ ઉપરાંત મનુષ્યમાં દ્રવ્ય અને ભાવ બને લેશ્યા અંતમું હેત પછી પલટી જય છે. પ્રશ્ન ૧૧૮૧ –નારકીના જીવ હસતાં તથા ઉત્સુક કેવી રીતે થાય છે? કે જ્યારે તેઓને મહાન અસાતા વેદનીય હોય છે? ઉત્તર –પિતાને મહાવેદના હોવા છતાં બીજા નારકીઓને પરમાધામીઓની પક્કડમાં ફસાયેલા જોઈને તેમને હાસ્ય આવી જાય છે. અને જિન-જન્મ આદિ પ્રસંગ પર પ્રકાશ વગેરે જેવાની ઉત્સુકતા અને અન્ય કઈ પદાર્થ જેવાની ઉત્સુકતા આવી જાય છે. ખાસ ચારિત્ર મેહનીય કર્મ તેઓમાં વિદ્યમાન છે. તેથી તેમને પ્રસંગ પર હાસ્ય અને ઉત્સુકતા આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy