SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૩૩ ઉત્તર :–ભિક્ષુની ૧૨ પડિમાં માગસરથી અષાઢ સુધી આઠ મહિનામાં પુરી થાય છે. આ પ્રમાણે પ્રાચીન ધારણું તથા પૂજ્ય આત્મારામજી મહારાજસાહેબના દશાશ્રુત સ્કંધ તેમજ અન્ય અનેક પુસ્તકમાં છે. અને એજ બરાબર લાગે છે. પરંતુ ટીકાકારે પહેલી પઠિમા ૧ માસની, બીજી બે માસની યાવત્ સાતમી સાત માસની બતાવી છે. એટલું જ પ્રતિકર્મ (જે જે પડિમાઓનો જેટલે જેટલો સમય છે. એટલા એટલા સમય સુધી) આહાર, ઉપધિ, વગેરે વડે પઢિમા તુલ્ય અભ્યાસને સમય બતાવીને સાત પડિમાઓને સમય નવ વર્ષ બતાવેલ છે. પ્રતિકર્મ સાધના) અને પડિમા એ બન્નેને ચાતુર્માસમાં કરવાને નિષેધ હોવાથી નવ વર્ષ લાગે છે. બાકીની પાંચ પડિમાઓના કાળમાં કઈ મતભેદ હેવાનું જાણ્યું નથી. પ્રશ્ન ૧૧૫૪ –સૂર્યના માંડલા કેવા પ્રકારના હોય છે? અને તે કયા પ્રકારે ગતિ કરે છે? ઉત્તર : ---સૂર્યના માંડલા ગેળ બતાવ્યા છે. જે આકાશ પર સૂર્ય ભ્રમણ કરે છે તે જ આકાશને માંડલું કહે છે. પરંતુ સડક વગેરેની જેમ કે માંડવું બનેલ બનાવેલ વસ્તુ નથી. ૩૦ મુહુર્તમાં બે સૂર્ય મળીને એક માંડલું પૂરું કરી દે છે. બે સૂર્યના સામેલ રૂપે ૧૮૪ માંડલા હોય છે. દરેક માંડલાને બન્ને એજનનું અંતર છે. આ રીતનું વર્ણન ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે. પ્રશ્ન ૧૧૫૫ –ઉત્તરાધ્યયનસૂત્રની ૩૩ માં અધ્યયનની ૧૬ મી, ૧૭ મી તથા ૧૮ મી ગાથાનો અર્થ શું છે? ઉત્તર : --પ્રશ્નકથિત ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. તે મૂલ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી, હવે આગળ તેનાં પ્રદેશાગ્ર (પરમાણુઓના પરિણામરૂપ દ્રવ્ય) ક્ષેત્ર, કાળ અને ભાવવરૂપનું વર્ણન કરવામાં આવશે, જે ધ્યાનપૂર્વક સાંભળે. - એક જીવના એક સમયમાં બંધાતા બધાં કર્મોનાં પ્રદેશાગ્ર અનંત છે. તે અભવ્ય જેથી અનંત ગુણ અને સિદ્ધોને અનંતમા ભાગે છે. સઘળા જીવે છે દિશાઓમાં રહેલ સોનાવરણીય આદિ કર્મ વર્ગણુઓને ગ્રહણ કરે છે. તે આત્માના બધા પ્રદેશની સાથે પ્રકૃતિસ્થિતિ વગેરે સર્વ પ્રકારથી બાંધે છે. પ્રશ્ન ૧૧૫૬ –પ્રદેશકમ કેવા પ્રકારે ભગવાય છે? ઉત્તર :--કોઈપણ પ્રકારનું ફળ, અનુભવ કરાવ્યા વગર જ કર્મ પુદ્ગલ આત્મ પ્રદેશથી અલગ થઈ જાય છે. એ જ પ્રદેશ કર્મ કહેવાય છે. તે ફલને અનુભવ તે કરાવતા જ નથી, તેથી તેને ભેળવવા માટે બીજે કોઈપણ પ્રકાર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy