SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] સમર્થ–સમાધાન ઉત્તર :–સાધુ-સાધ્વીને નાવના અગ્ર ભાગ પર બેસવાનો નિષેધ છે. ત્યાં બેસવાથી નિર્ધામકને ઉપદ્રવ થવાની સંભાવના રહે છે. નાવમાં બેસનારા લોકોની આગળ પાછળ બેસવાના નિષેધનું કારણ એ છે કે તે લેકેની સાથે અનેક પ્રવૃત્તિઓમાં કલેશ થવાની સંભાવના રહે છે. આથી તે સ્થાનોનો નિષેધ કર્યો છે. અનેક શુદ્ધ પ્રતિઓમાં નાવની પાછળ બેસવાને નિષેધ નથી. પ્રશ્ન ૧૧૫૦ –સાધુને ઊતરવા-ચડવા તથા પડવાને પ્રસંગ આવી જાય તે વૃક્ષ, વેલ વગેરે જે કાંઈ હાથમાં આવે તેની સહાયતા લઈને શરીરને બચાવે છે તેમાં હિંસા થાય તે તેમણે શું સંથારો કરો? ઉત્તર લાંબા રસ્તે પસંદ કરીને જવું જોઈએ, પરંતુ વૃક્ષાદિને આધાર લઈને જવું જોઈએ નહીં. એવા વિષમ માર્ગે જવાથી કર્મબંધ થાય છે. માટે ભગવાને સાધુ– સાધ્વીઓને એવા રસ્તા પર જવાનો નિષેધ કર્યો છે, નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશામાં સચિત્ત વૃક્ષ પર ચડવું, ચડવાની અનુમોદના કરવી, વનસ્પતિકાયની છેડી પણ વિરાધના કરવી તથા વનસ્પતિથી ભરેલા હાથથી આહાર વગેરે લે તેને માટે લઘુ મારી પ્રાયશ્ચિત કહ્યું છે. તેથી વૃક્ષાદિને પકડીને ઉતરવાની પ્રભુએ આજ્ઞા આપી નથી. બલકે નિષેધ કર્યો છે. પ્રશ્ન ૧૧૫૧ –હિંસાથી તૈયાર કરેલ ઉન અને રેશમના વસ્ત્ર ગ્રહણ કરવા એ, સાધુ માટે કેવી રીતે ક૫તા છે? ઉત્તરઃ—જે રીતે ત્રસ અને સ્થાવરની હિંસાથી આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ અનેક વસ્તુઓ તૈયાર થાય છે. અને સાધુ તેને કપાનુસાર લે પણ છે. પરંતુ તે વસ્તુઓ આધાકર્મ આદિ દોષોથી રહિત હોવી જોઈએ. એ જ રીતે ઉનના વસ્ત્રો કપે છે. રેશમના વસ્ત્ર વિભૂષાનું કાર્ય છે. તેથી તે ન લેવા જોઈએ. પરંતુ જે બીજા વર ન મળે તે લેવા કપે છે. પ્રશ્ન ૧૧૫૨ –ઠાણુગ સૂત્ર છે. ૩ ના પ્રશ્ન ૧૩૮ માં લખ્યું છે કે દેવે બાહ્ય પુદગલ ગ્રહણ કર્યા વિના વિકવણ કરી શકે છે? ઉત્તર:–દેવ અને નારકનું જે ભવ ધારણીય શરીર છે. તેનાથી બહારના પુદ્ગલે લીધા વિના જ વિદુર્વણ સમજવું, તથા વિભુષા કરવી તેને પણ વિકુર્વણ કહે છે. તેમાં બહારના પુદ્ગલ લીધા વિના કેશ, નખ વગેરે વ્યવસ્થિત કરવા તેને પણ વિદુર્વણા સમજવી. અથવા બહારના પુગલ લીધા વિના જ ગિરગિટની ક્રિયામાં લાલ રંગ વગેરેનું હેવું. તથા સર્પાદિની ફેણ બનાવવી વગેરેને પણ વિક્ર્વણ સમજી લેવું. પ્રશ્ન ૧૧૫૩ –ભિક્ષુની ૧૨ પડિમા કેટલા સમયમાં પૂરી થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy