SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૩૧ ઉત્તર:––૪ થા ગુણ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમથી કાંઈક વધારે કહે છે, તે પક્ષ વધારે પ્રબળ સાબિત થાય છે. અને જેઓ ૬૬ સાગરોપમથી કાંઈક વધારે કહે છે તે અવિરતિ સમ્યગૃષ્ટિ મનુષ્ય ૧૨ મા દેવલોકના ૩ ભવ કરવાનું કહે છે. પ્રશ્ન ૧૧૪૬ –તિર્યંચ-પંચેન્દ્રિય શ્રાવકના ૧૧ વ્રત માન્યા છે, પરંતુ રામ ચરિત્રમાં જટાયુને ૧૨ વ્રતધારી કહે છે, એ કેવી રીતે ? શું તિર્યંચ પંચેન્દ્રિયને ૧૨ વ્રત હોઈ શકે છે? ઉત્તર –વિક્રમની ૧૯મી કે ૨૦ મી શતાબ્દિમાં હાથી અને સાંઢ દ્વારા સાધુને આહાર પ્રતિલાલ્યાની વાત મેવાડમાં સાંભળી છે, આ પ્રકારે કયારેક ૧૧ વ્રતધારી તિર્યંચ શ્રાવકને સાધુને આહાર આપવાને પ્રસંગ મળી જાય, તે તેને બારેય વ્રતો હોઈ શકે છે. આવો અવસર તીર્થંચ શ્રાવકને ખાસ કરીને મળતું નથી. કયારેક અપવાદરૂપે અવસર મળી પણ જાય તો તેને ગૌણ કરીને સાધારણ રીતે શ્રાવકના ૧૧ વ્રત ગણાય છે, જે આ અપવાદને અથવા દાનની ભાવના અને અનમેદનાને સામેલ ગણે તે તીર્થંચ શ્રાવકના ૧૨ વ્રત હોઈ શકે છે. પ્રશ્ન ૧૧૪૭ –ઉત્તરાધ્યયન સૂવ અધ્યયન ૩૬ ગાથા ૧૦૭ માં તેઉકાય અને વાયુકાયને ત્રસકાયના જીની યોનીમાં કહ્યા છે. તે તે કઈ અપેક્ષાએ ? ઉત્તર –અહીંયા ત્રણનો અર્થ ગતિ કરવાને છે. તેઉકાય અને વાયુકાયને સ્થાવર નામ-કર્મને ઉદય હોવા છતાં પણ ગમન કરવાની અપેક્ષાએ તેને ત્રસ કહ્યા છે. લાકડાના સંગથી તેઉકાય બળતી બળતી ચાલી જાય છે. અને હવા પણ દૂર સુધી ચાલી જાય છે, એટલે ગતિની અપેક્ષાથી તેમને ત્રસ કહ્યા છે. પ્રશ્ન ૧૧૪૮–દેવ અને નારકીઓના ક્રિય શરીરના ચ્યવન પછી શું થાય છે ? દેના વસ્ત્ર અને અલંકાર શાશ્વત છે, કે અશાશ્વત? ઉત્તર :–દેવ અને નારકીના એવન પછી તેમના કિય શરીર કપુર, અત્તર, સ્પિરીટ વગેરેથી પણ ઘણી જલ્દીથી જ્યાં ત્યાં વિખરાઈ જાય છે. વ્યવન પછી તેમના શરીરના અવયવો દેખાતા નથી, દેને જે રવાભાવિક વસ્ત્ર અને અલંકાર છે તે તે શાશ્વત છે. પરંતુ કિયી કરીને બનાવેલા વસ્ત્રો અને અલંકાર પંદર દિવસથી વધારે રહી શક્તા નથી. પ્રશ્ન ૧૧૯–આચારાંગમાં સાધુને નાવની વચમાં (આગળ-પાછળ નહીં) બેસવાનું વિધાન છે. તે કયા કારણથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy