SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] સમર્થ–સમાધાન હાં, ૧૩માં ગુણ સ્થાનમાં કેવળજ્ઞાન થવાથી તે પોતાના પથિક-બંધને પણ જાણે છે. પરંતુ બંધ તે અનાયાસ જ થાય છે. પ્રશ્ન ૧૧૩૮ –સંસારી અગ્રતી જીવ દાન-પુણ્ય કરીને અથવા પાપઆરંભ કરીને જે ગતિમાં ગયે હેય તેને ચૌદ રજજુલાકની આશ્રવ-ક્રિયા લાગે છે, તે તેને માત્ર પાપાશ્રવ જ લાગે છે કે પુણ્યાશ્રવ પણ થાય છે? જેવી રીતે કોઈ વ્યકિત અસ્ત્ર-શસ્ત્ર બનાવીને અહીં મૂકી જાય છે. પછી તે હથિયારથી થનારી આરંભ જ આશ્રક્રિયા તેને લાગે છે. એ જ પ્રકારે કેઈએ વેદશાળા-ધર્મસ્થાનક વગેરે બનાવ્યા. તે તેના મૃત્યુ પછી જે વ્યકિત આરોગ્ય લાભ લે, કે ધર્મધ્યાન કરે તેનું પુણ્ય પણ તે વ્યક્તિને થાય છે? જે થાય છે, તે તે કેવી રીતે ? ઉત્તર:–ભગવતી સૂત્ર શતક-૫ ઉ. ૬ ની ટીકામાં વિવેક વગરના પુણ્યની ક્રિયા નથી લાગતી એમ બતાવ્યું છે. તે બરાબર લાગે છે. કારણ કે જેમ કે ચઢવું, સીવવું, ઘડવું, વગેરે તે ઇચ્છાપૂર્વક જ થાય છે. પરંતુ પડવું, ફેડવું, નાશ થવું, વગેરે ઈછા અથવા ઇરછા વગર પણ થઈ શકે છે. એ જ પ્રમાણે પાપની ક્રિયા તે આવ્યા કરે છે; પુણ્યની નહિં, પુણ્યની ક્રિયા તે કર્તવ્ય ક્ષણમાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૧૩૯ –વર્તમાનના વૈજ્ઞાનિક માન્યતાવાળાને તો એમ કેવી રીતે સમજાવવું કે સૂર્ય અને ચંદ્ર ફરે છે. તથા પૃથ્વી સ્થિર છે. ઉત્તરઃ—વર્તમાનમાં કેટલાક વૈજ્ઞાનિકે સૂર્યને સ્થિર તથા પૃથ્વી અને ચંદ્રને ફરતાં બતાવે છે. એથી વિરૂદ્ધ કેટલાંક વૈજ્ઞાનિકે સૂર્ય અને ચંદ્રનું ફરવું તથા પૃથ્વીનું સ્થિર રહેવું બતાવે છે. શાસ્ત્ર અને પ્રત્યક્ષ પ્રમાણથી પૃથ્વીનું સ્થિર રહેવું અને સૂર્ય ચંદ્રનું ફરવું સ્પષ્ટ છે, આ પ્રત્યક્ષ પ્રમાણને વૈજ્ઞાનિકે, રેલગાડી, અને દેડતા વૃક્ષો દેખાયાનું દૃષ્ટાંત આપીને દૃષ્ટિભ્રમ બતાવે છે. પરંતુ સૂર્ય-ચંદ્ર આદિ ચર અને ધ્રુવતાર સ્થિર આ રીતે બનેનું યથાર્થ સ્વરૂપ દષ્ટિ ગોચર થાય છે. એટલે આ દૃષ્ટિભ્રમ નથી. એ જ રીતે વૃક્ષના પક્ષીઓ પૃથ્વીની બતાવેલી દોડથી વિપરીત દિશામાં ઉડીને ફરીથી એજ વૃક્ષ પર બેસતાં દેખાય છે. આથી પૃથ્વીનું સ્થિર રહેવું અને સૂર્ય-ચંદ્રનું ચાલવું સાબિત થાય છે. પ્રશ્ન ૧૧૪૦ –જિન-કલપી મુનિ ઉત્સર્ગ માર્ગોનુગામિ હોય છે. એટલે ઓષધ આદિનું સેવન કરવું તેમને ક૫તું નથી. તે ભગવાન મહાવીર સ્વામીએ પિતે જિન કલ્પી હોવા છતાં ઔષધીનું સેવન કેમ કર્યું? શું આ પણ એક આશ્ચર્ય ગણાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy