SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન ઉત્તર – પર્યુષણ આદિ કેઈપણ ધાર્મિક પર્વ નિમિત્તે પ્રભાતફેરી કાઢવી તે સૂત્રાનુકુલ નથી, સૂત્ર વિરુદ્ધ છે. પહેલાં આવી પ્રથા ન હતી. સાધુ સાદેવીઓએ આવાં કાર્યો રોકવા જોઈએ. પ્રશ્ન ૧૧૩૩ –ભગવાન મલિનાથ સ્ત્રી-લિંગી હતા અને તીર્થકર દીક્ષિત થયા પછી તો નગ્ન રહે છે. એટલે સ્ત્રી-લિંગ અવસ્થામાં નગ્ન રહેવું એ કેમ સંભવિત હોઈ શકે? એમ કહેવામાં આવે છે કે, તેઓ રાત્રીએ સાધ્વી-પરિષદમાં નિવાસ કરે છે, તે દિવસે પણ નગ્ન અવસ્થા કેવી રીતે સંભવિત છે? ઉત્તર : –નાનાં બાળક-બાલિકાઓમાં પણ વિકારની મંદતા-શાંતતા હોવાથી તેઓનું નગ્ન શરીર વિકારને પુંજ, અશોભનીય અને બેઢંગ નથી લાગતું, તે ભલા, નિર્વિકારી પ્રભુનું શરીર તો મુખ્ય રૂપે વિકારનું કારણ, અભિનીય તથા બેઠંગ કેમ લાગે? એમ તે સ્ત્રીને ચિત્રમાં વિકાર ન હોવા છતાં પણ તેનાથી પ્રબળ વિકારીને વિકાર થાય છે, એજ રીતે નિર્વિકારી પ્રભુના નગ્ન અને વસ્ત્ર યુક્ત શરીરથી પણ વિકાર થાય છે તે પછી તેનો ઉપાય શો? દિવસે તે પ્રભુની વિરાગ્યમય વાણું આદિનાં કારણે વિકારનું જોર ચાલી શકતું નથી અને રાત્રીએ કલ્પાતીત હોવા છતાં પણ તેઓ છદ્મસ્થાના વિકાર, વિચાર અને વ્યવહારની રક્ષા માટે પુરુષોની પરિષદમાં ન રહેતાં, સાદેવીઓની પરિષદમાં જ રહે છે. સૂત્રમાં તેમની આત્યંતર પરિષદ સાદેવીજીઓની જ બતાવેલ છે. એટલે તેમનું નગ્ન રહેવું કઈ પણ પ્રકારે બાધક નથી. પ્રશ્ન ૧૧૩૪ –જ્યારે અવસર્પિણી કાલના પહેલા તથા બીજા આરાને વર્તમાનના છઠ્ઠા અને પાંચમા આરા સમાન જ બતાવેલ છે, તે આ પાંચમા આરામાં તે એકવીસ હજાર વર્ષના અંત સુધી ચારેય સંઘ રહેશે. એમ બતાવેલ છે. તો અવસર્પિણું કાલના બીજા આરામાં ચારેય સંઘ કયારથી ચાલુ થશે. અને તે સંઘને (તીર્થને) કેણુ અને કેવી રીતે સ્થાપશે? ઉત્તર:–અવસર્પિણી કાળના પાંચમા આરામાં તે ચોવીસમા તીર્થકરનું શાસન ચાલુ રહેવાથી ચારે સંઘ મળતા જ રહે છે. પરંતુ ઉસર્પિણી કાલના બીજા આરામાં સંઘની સ્થાપના થતી નથી અને મળતા નથી. ત્રીજા આરામાં પહેલા તીર્થકર હોય છે. તેઓ સંઘની સ્થાપના કરે છે. તેના પહેલા ચારેય સંઘ મળતા નથી તેનું સ્પષ્ટીકરણ “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ”ની નીચેની ટીકા તથા પાઠથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy