SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બને [ ૧૨૫ (૨૫) તૈજસૂ શરીર (૨૬) કાર્મણ શરીર (૨૭) વજાષભ નારા સંઘયણ (૨૮) સુસ્વર નામ (૨૯) દુઃસ્વર નામ (૩૦-૩૧) સાતા–અસાતા વેદનીય (૩૨) મનુષ્યાય (૩૩) સૌભાગ્ય નામ (૩૪) આદેય નામ (૩૫) યશ નામ (૩૬) ત્રસ નામ (૩) બાદર નામ (૩૮) પર્યાપ્ત નામ (૩૯) પંચેન્દ્રિય જાતિ (૪૦) મનુષ્ય ગતિ (૪૧) જિન નામ અને (૪૨) ઉચ્ચગોત્ર. ઉપર બતાવેલ કર પ્રકૃતિઓમાંથી અનુકમથી ૨૯ પ્રકૃતિએ છોડીને બાકીની ૧૩ પ્રકૃતિઓને ઉદય ચૌદમા ગુણ સ્થાનમાં ઘણું ની અપેક્ષાથી હોય છે. અને એક એક જીવની અપેક્ષાથી એક વેદનીયને ઉદય હોવાથી ૧૨ પ્રકૃતિને ઉદય હેાય છે. પ્રશ્ન ૧૧૨૯ –સાથ્વીને કેવળજ્ઞાન થયા બાદ નિયંઠામાં કહ્યા પ્રમાણે છદ્યસ્થ સાધુને વંદણું કરવામાં આવે છે કે નહિ? જે સાધુને ખબર પડે કે સાધ્વીને કેવળજ્ઞાન થયું છે તે તે કેવળજ્ઞાની સાવીને વંદન કરવામાં આવે છે? ઉત્તર :–સ્થિત તથા અસ્થિત ક૫ એ બધાયે નિયંઠા (નિગ્રન્થ)માં છે. એટલે પુરુષ જ્યેષ્ઠ કલ્પાનુસાર છદ્મસ્થ સાધુએ કેવળી સાવી પ્રત્યે વ્યાવહારિક વિનય સુચારુ રૂપે ચલાવવા માટે હાથ જોડવા, માથું નમાવવું વગેરે વિનય-પ્રવૃત્તિ કરે છે “પ્રવાર્થિ ૩વવિઝા મળતનાળોવાળો વિ સંતો” દશવૈકાલિક અ.૯ ઉ. ૧ ગાથા ૧૧ના આ પાઠથી પણ કેવળી, છમને વંદન કરે એ અર્થ ફલિત થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દોહામાં પણ એમજ કહ્યું છે કે– જે સદગુરૂ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. દ્રવ્યરૂપે વિધિવંદન કેવળજ્ઞાનવાળી સાધ્વીને પણ છદ્મસ્થ સાધુ કરતા નથી. - પ્રશ્ન ૧૧૩૦ –ગૌતમ ગણધર જાતિથી બ્રાહ્મણ હતા કે રાજપુત? ઉત્તર :–ગૌતમસ્વામીની જાતિ બ્રાહ્મણ હતી એવું આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં બતાવેલ છે. પ્રશ્ન ૧૧૩૧ –સાધુ સાધ્વી રજોહરણ વિના કેટલે દૂર જઈ શકે ? ઉત્તર :–સાધુ સાધ્વીએ પોતાના હાથથી પાંચ હાથ ઉપરાંત, રજોહરણ વગર ન જવું જોઈએ, નિશીથ સૂત્રના ૫ મા ઉદ્દેશાના અર્થથી એવું સ્પષ્ટ પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૧૩૨– પર્યુષણના દિવસોમાં પ્રભાત ફેરી કાઢવી એ શું શાસ્ત્રસંમત છે? તે ઉચિત છે કે અનુચિત? સાધુસાવી આ બાબતમાં “હા” કે ના” કંઈ કહેતા નથી. જે અનુચિત હોય તે નિષેધ કરવામાં શો વધે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy