SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] સમર્થ–સમાધાન (૨) ઉપાશ્રયમાં ઠંડા કે ગરમ પાણીના ઘડા પડ્યા હોય, તે ઉત્સર્ગમાં રહેવું નિષેધ છે, પરંતુ બીજો ઉપાશ્રય ન મળે તો ૧-૨ રાત તે (પાણી વાળા ) ઉપાશ્રયમાં રહી શકે છે, તેનું પ્રાયશ્ચિત નથી, પરંતુ તેથી વધારે જેટલા પણ દિવસ રહે, તેટલા જ દિવસેને છેદ કે પ્રાયશ્ચિત આવે છે. સકારણ રોકાય તે પણ આ પ્રાયશ્ચિત આવે છે. એજ રીતે જે મકાનમાં દારૂના ઘડા હોય, કે સંપૂર્ણ રાત્રિ અગ્નિ કે દીપક જલતે હોય, તે મકાનમાં રહે તે પણ ઉક્ત રીતે પ્રાયશ્ચિત સમજવું જોઈએ (બૃહત્ક૯૫ ઉ. ૨) વગેરે, આ રીતે અનેક ઉદાહરણ દઈ શકાય છે. પ્રશ્ન ૧૧૧૮–ત્રસકાયને જગમ દેવ અધિપતિ છે, એટલે જંગમકાય કહે છે. ૨૫ બોલના થેકડામાં આવું લખ્યું છે, એથી પૂછવાનું છે કે જગમદેવ કેને કહે છે ? તે વૈમાનિક છે કે અન્ય જાતિના? કારણ એ છે કે ચારેય ગતિના ત્રસ જીને જંગમ કહે છે, તે અધિપતિ જગમ દેવ કઈ જાતિના છે? ઉત્તર –ઠાણાંગ સૂત્રના ૫ મા સ્થાનમાં પ્રથમઉદ્દેશામાં પાંચ સ્થાવર કાયના ઈન્દ્ર ઈન્દ્રાદિ પાંચ સ્વામી બતાવ્યા છે. ત્રસ નહિ. ત્રસકાયના સ્વામી જંગમ દેવ કહે છે, તથા થેકડાઓના પુસ્તકમાં પણ લખે છે, પરંતુ સૂત્રમાં આ વાત મ. શ્રી ના વાંચવામાં આવી નથી. જંગમને અર્થ ચાલવાવાળા પ્રાણ થાય છે, એથી ત્રસકાયને જંગમ કહે છે. પ્રશ્ન ૧૧૧૯–સાયિક સમ્યક્ત્વ વાળા કેટલા ભવ કરે છે? ઉત્તર:–ફાયિક સમ્યકત્વ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે. (પૂર્વ) પરભવનું આયુ બાંધ્યા પહેલા જ જે ક્ષાયિક–સમ્યકત્વ આવી ગયું હોય, તો તે મનુષ્ય તે જ ભવમાં મિક્ષ જશે, (ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકા) જે નરક કે દેવનું આયુ પહેલા બંધાયેલ હોય, તે તે સમકિતની પ્રાપ્તિ વાળા ભવ સહિત ત્રીજા ભવમાં મેક્ષ જશે. અર્થાત્ વચ્ચમાં દેવ કે નરકનું જે આયુ બાંધ્યું છે તે ભગવાને મનુષ્ય થઈને મોક્ષ જશે. (ચોથી નરક સુધીનું આયુ બાંધ્યું હોય, તે ક્ષાયિક–સમકિત પ્રાપ્ત થઈ શકે છે. આગળની નરકનું બાંધેલા હોય તે નહિ.) તિર્યંચમાં કેવળ અસંખ્ય વર્ષના સ્થળચરનું અને મનુષ્યમાં ૩૦ અકર્મભૂમિનું આયુ બાંધેલ હોય, તો ક્ષાયિક-સમકિત પ્રાપ્ત થઈ શકે છે. શેષ મનુષ્ય-તિર્યંચના આયુ બંધાય તે નહિ. અસંખ્ય વર્ષના સ્થળચર અને ૩૦ અકર્મ–ભૂમિનું આયુ બાંધવા પર તે ભવ સહિત ચેથા ભવમાં મોક્ષ જશે, કેમકે યુલિયા મરીને દેવમાં જ જશે, પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. એથી સમકિત પ્રાપ્તિના ભવ સહિત ચાર ભવથી વધારે થઈ શક્તા નથી. આ વાત ચોથા કર્મ—ગ્રંથની ૨૫ મી ગાથાની ટીકાથી સ્પષ્ટ થાય છે. - પ્રશ્ન ૧૧૨૦-નાની સફેદ એલાયચીને અચેત અને લીલી એલાયચીને સચેત સમજવી તે ક્યાં સુધી બરાબર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy