SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ મજ ૧૨ ઉત્તરઃ— -સફેદ એલાયચી પણ ઉકળેલી અને ઉકળ્યા વગરની બન્ને પ્રકારની આવે છે, એમ સાંભળ્યું છે. એથી તેમાં બધી જ અચેત હોય, એવી પૂર્ણ નિઃશ ંકતા નથી. એટલે તેને અકલ્પનીક સમજીને મુનિએ ન લેવી જોઇએ. પ્રશ્ન ૧૧૨૧:-શ્રી અનાથી મુનિએ કોની પાસે દીક્ષા અ`ગીકાર કરી, અને કોના શાસનમાં? જે સમયે શ્રેણિક રાજાએ શ્રી અનાથી મુનિ પાસે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, તે સમયે પ્રભુ મહાવીર કેવળ અવસ્થામાં હતા કે છદ્મસ્થ અવસ્થામાં ઉત્તર:—શ્રી અનાથી મુનિના ગુરૂનુ નામ તે જોવામાં આવ્યુ નથી. ધારણા તેમજ ઢાળા ઇત્યાદ્ધિથી શ્રી અનાથી મુનિ, પ્રભુ મહાવીરના શાસનમાં થય!, એમ પ્રતીત થાય છે. આના ઉપરથી આ પણ સિદ્ધ થાય છે કે જે સમયે શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ ગ્રહણુ કર્યું, ત્યારે ભગવાન્ મહાવીર કેવળી હતા. પ્રશ્ન ૧૧૨૨ :---ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરવા જતા સમયે રાજા-મહારાજાએ કારટ ફૂલેાની માળા છત્રના ઉપર લગાવે છે કે ગળામાં પહેરતા હતા? ઉત્તર :—કાર’ટ જાતિના ફૂલોની માળા છત્ર ઉપર લગાવતા હતા. પ્રશ્ન ૧૧૨૩ઃ—જે વ્યક્તિને અન્ય દેવને પૂજવાને ત્યાગ છે, તેને દીવાળી ઉપર લક્ષ્મી પૂજન વગેરેમાં દોષ લાગે છે કે નહિ? જો લાગે છે તો દીવાળીપૂજન કેવી રીતે કરવું જોઈ યે ? ચાપડા-પૂજન વગેરે પણ કરવા જોઇયે કે નહિ? ઉત્તર :~~લક્ષ્મી નામની દેવી પણ છે અને લક્ષ્મી ધનને પણ કહે છે. અન્ય દેવ પૂજવાના ત્યાગ વાળા, ત્યાગની રક્ષા માટે લક્ષ્મી નામની દેવીની પૂજા પણ કરી શકતા નથી, પરંતુ આમાં રાજા, માતા-પિતા વગેરે ૬ આગાર બતાવ્યા છે. કોઈ પ્રસંગે તેની આજ્ઞા વગેરેના દબાણથી, પોતાની ઈચ્છિા ન હોવા છતાં પણ પૂજન કરવું પડે, તે ત્યાગને ભગ થતા નથી અને જે કાઇ, આ આગા, ન રાખતાં ત્યાગ કરે, તે તેની વિશેષતા છે. ચેપડા અને રૂપિયા આદિનુ પૂજન પણ લૌકિકપરંપરાની રૂઢીથી લેાકેા, મંગળ રૂપે માને છે, પરંતુ શાસ્ત્રકાર પાંચ પરમેષ્ઠી મંત્રને સમ’ગળામાં પ્રથમ, શ્રેષ્ઠ એવ પાપ-નાશક બતાવે છે. એથી દ્રઢ ધમી વ્યક્તિ તે તે પૂજનના સમયે પણ આ મંત્રોના પ્રમાદ ભાવે જાપને જ દિવ્ય-પૂજન સમજે છે. પ્રશ્ન ૧૧૨૪ઃ—કેવળીને વંદણુ કયા પદથી થાય છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy