SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૧૧ :–દેવલોકમાં જે પાણું છે, તે અપકાયમય છે, પરંતુ ત્યાં અપકાય આવી કયાંથી? કેમકે ત્યાં વર્ષો તે થતી નથી, તો પછી પાણીની આવક કયાંથી થાય છે? ત્યાં જે વસ્ત્ર છે, તે વનસ્પતિના બનેલ છે શું ? ઉત્તર –જે રીતે મનુષ્ય ક્ષેત્રના પદ્મ, મહાપદ્મ વગેરે દ્રામાં અને બહારના સમુદ્રોમાં અપકાયના જીવ અને પુદ્ગલેને ચયાપચય થઈને પિતાની મેળે જ (આપોઆ૫) અપકાય પેદા થતી રહે છે, તે જ રીતે દેવલોકમાં પણ વરસાદ વગર અપકાયની ઉત્પત્તિ થાય છે. વેકિય વરો સિવાય જે ત્યાં સ્વાભાવિક વસ્ત્ર છે, તે પૃથ્વીકાયના છે. પ્રશ્ન ૧૧૧૨–જાતિસ્મરણ જ્ઞાન મિથ્યાષ્ટિને પણ થઈ શકે છે શું? ઉત્તરજાતિસ્મરણ, મતિજ્ઞાનને ભેદ છે, એથી મિથ્યા દ્રષ્ટિને પણ થઈ શકે છે. સમ્યગદષ્ટિનું જાતિસ્મરણ, મતિજ્ઞાનમાં અને મિથ્યાષ્ટિનું મતિઅજ્ઞાનમાં છે. પ્રશ્ન ૧૧૧૩ –અપવાદની પરિભાષા શી છે? ઉત્તર -મૂળ નિયમની રક્ષા માટે સંકટ આવવા પર અન્ય માર્ગ ગ્રહણ કરેઅપવાદ છે. જેમ–સાધુએ નદી ઉતરવી આદિ. (બૃહત્કલ્પનિર્યુક્તિ ગાથા ૩૧૯, સ્યાદ્વાદ મંજરીની કારિકા ૧૧ ટકા) જૈન સિદ્ધાંત પ્ર. પૃ. ૨૫. પ્રશ્ન ૧૧૧૪ ––અપવાદમાં કાર્ય કરવા વાળાઓને શું પ્રાયશ્ચિત આવે છે? ઉત્તર:–અપવાદ વિભિન્ન પ્રકારના હોય છે. અને તેના પ્રાયશ્ચિત પણ અલગઅલગ પ્રકારના હોય છે, તથા કઈ કેઈ અપવાદનું પ્રાયશ્ચિત પણ હોતું નથી. પ્રશ્ર ૧૧૧૫-ધ્વનિવર્ધક-યંત્રની અપવાદની સ્થિતિ શી હોઈ શકે છે? ઉત્તર –ઠાણાંગના ૧૦ માં ઠાણામાં અને ભગવતી સૂત્રના શ. ૨૫ ના ઉ. ૭ માં દેષ આવવાના ૧૦ માર્ગ બતાવ્યા છે. અપવાદને સમાવેશ “આપત્તિ” નામના પાંચમા દોષ માર્ગમાં થાય છે, અન્ય માર્ગમાં નહિ. એથી આપત્તિ વગર અપવાદનું સેવન ન હોવું જોઈએ. ધ્વનિવર્ધક યંત્રમાં બોલવું, અપવાદની અંતર્ગત માનવું લાગતું નથી. પથ ૧૧૧દ–વનિવર્ધક-યંત્રમાં બોલવા વાળાને શું પ્રાયશ્ચિત આવે છે? ઉત્તર:–“અવળા મુgિaવ્યવહાર સૂત્ર પ્રથમ ઉ. ના આ પાઠથી ભવિષ્યમાં તે કાર્યને ન કરવા માટે પ્રસ્તુત વ્યક્તિ પ્રાયશ્ચિત કરે, એવું આનાથી સ્પષ્ટ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy