SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] સમર્થ–સમાધાન “અનાનિધને , સ્વપર્યાયઃ પ્રતિક્ષણમ્ | उम्मम्जन्ति निमज्जन्ति, जलकल्लोल वज्जले ॥१॥ પ્રશ્ન ૧૦૮૧–ઉત્તરાધ્યયન સૂવ ૨૬ ગાથા ૪૦માં દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્રના ત્રણ અતિચાર ચાલ્યા છે અને ગાથા ૪૮ મી માં રાયસી સંબંધી પ્રતિક્રમણમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ અતિચાર ચાલ્યા છે અને વર્તમાનમાં પણ ૪ બોલાય છે, એનું શું કારણ છે? ઉત્તર –“રાત્રિ ભોજન ત્યાગ રૂપ” તપાચાર સાધુને રાતે જ હોય છે, એમ ન સમજવું, કેમકે સ્વાધ્યાય, ધ્યાન આદિ રૂપ તમાચાર સાધુને દિવસ અને રાત ચાલુ જ રહે છે, એથી બધા અતિચારોની આલેચના દિવસ અને રાત્રિના પ્રતિકમણમાં પ્રભુ આજ્ઞા અનુસારે કરવી આવશ્યક છે. મુખ્ય રૂપે પ્રતિક્રમણને અમુક પાઠ તો દિવસથી અને અમુક પાઠ રાત્રિથી અને અમુક બનેથી સંબંધ રાખે છે, પરંતુ રાયસી–દેવસી પ્રતિક્રમણમાં બધા પાઠોનું ચિંતન કરવું અનિવાર્ય બતાવ્યું છે. આ રીતે પણ બધા અતિચારેની શુદ્ધિ માટે રાયસી દેવસી પ્રતિક્રમણમાં ચિંતન કરવું સિદ્ધ થાય છે. રહી વાત ૪૦મી ગાથામાં ત્રણ અને ૪૮મી ગાથામાં ચારેય અતિચારેનું ચિંતન કરવાનું કેમ બતાવ્યું છે તે તેનું સમાધાન નિમ્ન પ્રકારે થાય છે – જ્ઞાનાચારાદિ જે પંચાચાર છે, તેને સમાવેશ જ્ઞાનાચાર જે ત્રણ તથા ચાર ભેદ માં પણ હોઈ શકે છે. એથી ત્રણ તથા ચાર ભેદોમાંની આલોચનાથી બધા અતિચારેની આલેચના સમજી લેવી જોઈએ. પ્રશ્ન ૧૮૮૨–ભરત ચક્રવતીને દેશ સાધવા માટે ૬૦ હજાર વર્ષ લાગ્યા છે, ત્યાર પછી બ્રાહી અને સુંદરીએ દીક્ષા લીધી, એમ હમણ સુધી સાંભળ્યું છે. અને ઋષભદેવ ભગવાન્ ૧૦૦૦ વર્ષ સુધી છદ્મસ્થ રહ્યા, તે પ્રથમ શિષ્યા કેવી રીતે બની? ઉત્તર :–“માં શું પામોવત્તાગો” આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના પાઠમાં તો બ્રાહી– સુંદરી મહાસતિઓને પ્રમુખ મહાસતિઓ બતાવી છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે અન્ય બધી સતિઓથી આની દીક્ષા પહેલા થઈ હતી. તથા કથાકાર તો સુંદરી મહાસતીનો દીક્ષા સમય ભરત મહારાજના ખંડ–સાધવાની પછીનો બતાવે છે. તે આ પાઠથી બરાબર લાગતું નથી, પરંતુ પહેલા દીક્ષા થવી સંગત છે. પ્રશ્ન ૧૦૮૩ –મહાવિદેહ ક્ષેત્રમાં મૂળ ગુણ-ઉત્તર ગુણ પ્રતિસેવી સાધુ દરેક સમયે હોય છે કે નહિ? અને નિયંકા પ્રતિસમય કેટલા સમજવા જોઈયે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy