SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૦૯ પ્રશ્ન ૧૦૭૭ –ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫ મો અધ્યયનની ૧૨ મી ગાથાને શબ્દાર્થ અને ભાવાર્થ બરાબર છે શું? ઉત્તર :–ઉત્તરાધ્યયનના ૧૫ માં અધ્યયનની ૧૨ મી ગાથાને જે શબ્દાર્થ શ્રીમાન પં. ઘેવરચંદ્રજી સા. બાંઠિયા (વીરપુત્ર) એ કર્યો છે, તે બરાબર લાગે છે. ભાવાર્થ-ગૃહસ્થને ત્યાંથી જે કંઈ–આહાર–પાણી અને અનેક પ્રકારના ખાદિમ, સ્વાદિમ, પ્રાપ્ત કરીને જે બાળવૃદ્ધાદિ સાધુઓ ઉપર અનુકંપા (ઉપકાર) કરે છે, મન, વચન, અને કાયાને, વશમાં રાખે છે, તે ભિક્ષુ છે, તે કઈ આ ગાથાનો અર્થ નિમ્ન પ્રકારે પણ કરે છે– જે કાંઈ આહારદિક ગૃહસ્થીઓ પાસેથી પામીને જે સાધુ તે દાતારને (ત્રિવિળ) ત્રિવિધે કરી (નાણુ) ઉપકાર ન કરે એટલે સાધુ મુધાજવી હોવાથી તેમને સાંસારિક ઉપકાર કરવાનું ઇચ્છે નહિ. (સ) તે (નખ વય જય સં9) મન, વચન, અને કાયાએ કરી સારી રીતે સંવર પાળવાવાળા સંતે (મિલવૂ) ભિક્ષુ કહેવાય છે. પ્રશ્ન ૧૦૭૮–સિદ્ધોના સ્વભાવ પર્યાયને પલટે કેવી રીતે થાય છે? ઉત્તર :–જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય સદા એક સમાન રહે અને જેની પર્યાય હંમેશા બદલતી રહે, તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. આ ગુણ બધા દ્રવ્યમાં મળે છે. સિદ્ધ પણ છવદ્રવ્ય છે. એથી સિદ્ધોમાં દ્રવ્યત્વ ગુણ હોવાથી પર્યાય પણ નિરંતર પલટાતી (બદલાતી) રહે છે. અર્થાત્ પગુણ હાનિ-વૃદ્ધિ રૂપ અગુરુલઘુ પર્યાયની પ્રવૃત્તિ બધા દ્રામાં હોવાથી સિદ્ધોને પણ હોય છે, એમ સમજવું જોઈયે. પ્રશ્ન ૧૦૭૯ –અલકમાં સ્વભાવ અને વિભાવ-પર્યાય છે કે નહિ ? જે છે, તે કેવી રીતે સમજવું ? ઉત્તર:–અગુરુલઘુ ગુણના વિકાર રૂપ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યમાં હેવાનાં કારણે આ અગુરુલઘુ રૂપ રવભાવ પર્યાય અલોકાકાશમાં પણ સમજી લેવી અને વિભાવ પર્યાય તે કેવળ જીવ અને પુદ્ગલમાં જ હોય છે. એથી અલકાકાશમાં નથી. પ્રશ્ન ૧૦૮૦ –ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયની સ્વભાવ પર્યાયનો પલટે કેવી રીતે થાય છે? ગુણ હાનિ-વૃદ્ધિ કેવી રીતે થાય છે? આને ઉદાહરણ સહિત ખુલાશે કરશે જી. ઉત્તર –ધર્માસ્તિકાય આદિ ત્રણેય પર્યાયનુ પલટવું આગમ પ્રમાણથી જ માની શકાય છે. જેમ કહેલ પણ છે કે – સુમા કવારા પ્રતિક્ષાં વર્તમાના ગામમાં પ્રાવ્યાખ્યુ પામ્યા ” અગુરુલઘુ તથા પર્યાયની હાનિવૃદ્ધિ ઉપર પૂર્વાચાર્યોએ જલકલેલનું ઉદાહરણ નિમ્ન પ્રકારે દિધેલ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy