SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [૯૭ ભાગ બીજે પ્રશ્ન ૧૦૪૬૪–મહિકા (ધૂવર-ઝાકળ) પડતી વખતે પ્રતિલેખન, સ્વાધ્યાય, હલનચલન તથા વિશેષ કોય ચેષ્ટા વગેરે ક્રિયાઓ ન કરવાની પ્રવૃત્તિ છે. આનો આધાર શું છે? દશવૈકાલિક અધ્યયન ૫ ગાથા ૮ તથા આચારાંગ અધ્યયન ૧૦ ઉ. ૩ માં તો કેવળ ભિક્ષાદિ નિમિત્તે ગમન કરવાનો નિષેધ કર્યો છે, તે તે કેમ સમજવું? ઉત્તર :–ધૂવર, વર્ષા વગેરેમાં ભિક્ષાદિના માટે જવાથી સંયમને ઉપઘાત થાય છે; અર્થાત્ જીવ-વિરાધના થાય છે. એથી જવું નિષેધ છે. ધૃવર અત્યંત બારીક પાણી હેવાથી મકાનની અંદર પણ આવી જાય છે. તે જીવોની વિરાધનાથી અટકવા માટે પ્રતિ લેખન વગેરે વિશેષ કાયષ્ટાદિ ક્રિયાઓ કરવાનો નિષેધ છે. આ વાત નિમ્નક્ત પ્રમાણથી સ્પષ્ટ થાય છે. વ્યવહાર ભાષ્ય . ૭ ભાષ્ય ગાથા ૨૭૮, ૨૭૯ માં ધૂવર પડતા ઉચ્છવાસ, ઉમેષને છોડીને બાકીની હલન-ચલન આદિ કાય- ચેષ્ટાઓ તથા ભાષા બેલવાની કઈ પણ ક્રિયાઓ કરે નહિ તથા ૧૦૪૫ મા પ્રશ્નના સમાધાનમાં વર્ષના જે ત્રણ ભેદ બતાવ્યા છે, તેમાં પણ જે ઉપાશ્રયમાં પાણી ના ટપકતું હોય, તે અનુકમથી એક કે ત્રણ, પાંચ અને સાત દિવસ પછી નિરંતર વર્ષાના કારણે બધી અપકાય સ્પષ્ટ હેવાથી, પછી જ્યાં સુધી વર્ષા ચાલુ રહે ત્યાં સુધી તથા વાયુ વડે આકાશમાં વ્યાપેલ તામ્ર વર્ણની સચેત ( વ્યવહાર સચેત) રજ, તે પણ નિરંતર ૩ દિવસ ઉપરાંત પડવાથી સર્વ પૃથ્વીકાયયુક્ત હોવાથી ઉપાશ્રયની અંદર પણ ઉપરોકત ધંવરમાં કહેલ અનુસારે પ્રતિલેખનાદિ કઈ પણ ક્રિયા કરવી નહિ. એથી ઉપરોક્ત પ્રમાણથી ધૃવરાદિમાં વિરાધનાના કારણે હલન-ચલન આદિ કોઈ પણ ક્રિયાઓ નથી કરાતી. પ્રશ્ન ૧૦૪૭ –ભિક્ષની બાર પ્રતિમાઓ તથા એકલ-વિહાર આદિ કેઈ પણ પ્રતિમાઓ ધારણ કરવા વાળાની યેગ્યતાને માપદંડ શું છે? ઉત્તર –વ્યવહાર ભાષ્ય . ૧, દશાશ્રુત સ્કંધ અધ્યયન ૭ ની ટીકા વગેરેમાં જ. ૨૯ ની વય અને કમથી કમ ૨૯ વર્ષની દીક્ષા તથા જઘન્ય ૯ મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટ કંઈક ઓછું દશ પૂર્વનાં જ્ઞાનવાળા અને પ્રથમના ત્રણેયમાંથી કઈ પણ સંહનન વાળા ધારણ કરી શકે છે, એમ બતાવ્યું છે. ઠા/ગ ઠાણ ૮ માં શ્રદ્ધાદિ ૮ ગુણવાળા જ એકલવિહાર પ્રતિમા ધારણ કરી શકે છે. એવું મૂળપાઠમાં વર્ણન છે. હરિભદ્રસૂરિ કૃત “પંચાશક' નામક ગ્રંથના ૧૮ મા પંચાશકમાં પણ સવિસ્તાર વર્ણન છે. સામાન્ય રૂપે આ ઉપરક્ત નિયમ બતાવ્યું છે. આગમ-વિહારિઓની ઉપસ્થિતિમાં જેમ ઉચિત સમજે છે, તેમ જ આજ્ઞાપ્રદાન કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy