SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૦૪૮:–જિન નામને બંધ કયાં સુધી થાય છે તથા બધી ગતિઓમાં થાય છે કે નહિ? તથા આને નિકાચિત બંધ થયા પછી પણ બંધ ચાલુ રહે છે શું? - ઉત્તર –જિનનામને બંધ ચોથા ગુણસ્થાનથી ૮ મા ગુણસ્થાનના સાતેય ભાગમાંથી છઠ્ઠા ભાગ સુધી થઈ શકે છે. તિર્યંચ ગતિમાં તીર્થકર નામને બંધ થતું નથી, શેષ ૩ જાતિઓમાં થાય છે, કેમકે નિકાચિત જિન–નામ બંધ પછી તિર્યંચ ગતિમાં જતા જ નથી. આ બંધ થયા પછી દેવ કે નરકમાં જાય છે. નિકાચિત બંધ પછી પણ જિન-નામને બંધ ચાલૂ રહે છે, કેમકે નિકાચિત બંધ પછી તે મનુષ્ય, દેવ કે નરક ગતિમાં જાય છે, તે ત્યાં પણ તેને બંધ ચાલૂ રહે છે. આ વાત પ્રજ્ઞાપન પદ ૨૦ તથા ૫ માં કર્મ—ગ્રંથાદિથી સ્પષ્ટ છે. જિન-નામને નિરંતર બંધ અનુત્તર વિમાનની અપેક્ષાએ ૩૩ સાગરેપમ સુધી થવાને ૫ મા કર્મગ્રંથની ૬૨ મી ગાથામાં બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૪૯-કિશમિશ (નાની દ્રાક્ષ), અંગુર, ઈલાયચી, કાળા અને સફેદ તીખા, બદામ, પિસ્તા, ચારોળીની અખંડ મજજા, પકાવ્યા વગરના ટમેટા, વઘારેલી કાકડી, મેગરી આદિ, સેકેલા ભુટ્ટાના દાણું એમજ ઘઉં, ચકું, જુવાર, બાજરો વગેરેનો સેકેલે પિંક, કેળા, બરફ વગેરે એવી કેટલીય વસ્તુઓને કેઈ સચેત અને કેઈ અચેત માને છે તે કેમ? ઉત્તર – કિશમિશની અંદર બીજ હોવાથી તેને સચેત સમજવી જોઈએ. કેમકે જે ફળ છે, તેની પરિપકવ અવસ્થામાં બીજ અવશ્ય હોય છે, બીજ વગરનું ફળ હેવાને સંભવ નથી. પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં વૃક્ષેને ફળની અપેક્ષાએ “આફ્રિાય વાવીયા” બતાવ્યા છે, પરંતુ બીયા વગરના ફળ બતાવ્યા નથી. તથા “”િ ના ભેદોમાં પણ બીજવાળા જ ફળ દેખાય છે. તે પછી એને અબીયા કેમ સમજાય ? ભગવતી સૂત્ર શ. ૨૨ ના છઠ્ઠા “ઢ” વર્ગમાં પ્રજ્ઞાપના અનુસાર વિલિના નામમાં કિશમિશનું પણ નામ છે અને આના મૂળથી લઈને બીજ પર્યત દશ ઉ. બતાવીને વિવરણ કર્યું છે, આમાં બીજને અલગ ઉદ્દેશે બતાવ્યું છે. આમાં મૂળ પાઠથી જ બીજ સિદ્ધ છે. તથા જીવાજીવાભિગમ સૂત્રમાં પણ બાદર વનસ્પતિની અંતર્ગત પ્રત્યેક વનસ્પતિના ભેદે માટે પન્નવણની જ ભલામણ દિધી છે. તેથી પણ “ ” અને “ગઢા” નું સ્વરૂપ તે જ રીતે સ્પષ્ટ થાય છે. ઠા/ગ ઠાણ ૨, ઉ. ૧ (સૂ. ૭૩)ની ટીકામાં કિશમિશને સ્પષ્ટ રૂપે સચેત બતાવી છે. શકા –કેષમાં આનું નામ “અબીયા” પણ આવ્યું છે. આથી આમાં બીજ ન હવું સિદ્ધ છે, તે પછી આને સચેત કેમ મનાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy