SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે બેસવુ, સુવું, પરડવું વગેરે ન કરવાવાળાને અસમાધી દોષના ભાગી બતાવ્યા છે. આગમમાં પૂજવા સંબંધી સ્પષ્ટ વર્ણન હોવા છતાં પણ સૂમ પાણીની વિરાધનાના બહાને પૂજવામાં શંકા કરવી ઉચિત નથી. પ્રશ્ન ૧૦૪ર :–ચોમાસાના પ્રારંભ અને સમાપ્તિમાં તો માસી પ્રતિક્રમણ બેસતી, ઉઠતી માસી સંબંધી કરાય છે, પરંતુ ફાગણ પૂનમે તો માસું ઉઠતું-બેસતું જ નથી તે પછી ફાગણું મારી પ્રતિક્રમણ કેમ કરાય છે? ઉત્તર :–ચોમાસા, ઉઠવા-બેસવા સંબંધી પ્રશ્નને લઈને ફાગુણ ચોમાસી પ્રતિક્રમણ કરવામાં વાંધો ઉઠાવતા જે દલીલ દીધી છે, તે બરાબર નથી, કેમકે પ્રતિક્રમણ, દેનું કરાય છે. ચોમાસું ઉઠવું-બેસવું એ કોઈ દોષ નથી, તો તે સંબંધી પ્રતિક્રમણ કરાય. જ્ઞાનાદિમાં લાગેલા દોષની નિવૃત્તિ રૂપ જ પ્રતિકમણ છે અને તે ભૂતકાળ સંબંધી હોય છે. કાર્તિક માસી પર તે ચોમાસામાં લાગેલ દોનું પ્રતિકમણ કરવું ઠીક બેસે છે, પરંતુ અષાઢી ચિમાસીનું કેમ બેસશે ? ચોમાસામાં લાગવા વાળા નું પ્રતિક્રમણ પહેલાં તે થશે નહિં તે પછી તે દિવસે પ્રતિક્રમણ શેનું કરાશે ? જે ભૂતકાળ સંબંધી કહો, તે કાર્તિક ચિમાસી પ્રતિકમણ પછી ફાગુણી માસી પ્રતિક્રમણ ન કરવાથી અષાઢ પૂનમ સુધી આઠ મહિના થઈ જશે અને આઠ માસી પ્રતિક્રમણ થશે અને આઠમાસી પ્રતિક્રમણ તે છે નહિ. એથી અષાઢી માસી પ્રતિકમણ ગત ચૈત્રાદિ ચાર મહિના ગણવાથી જ બેસી શકે છે. અને આ ચાર મહિના ગણવાની સંગતિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કે કારતક પછી વચ્ચે ફાગણ માસી કરાય. એથી ફાગણ ચોમાસી કરવી સ્પષ્ટ સિદ્ધિ છે, તથા દિવસ-રાત્રિની અંતે દેવસી, રાયસી, પક્ષની અંતે પાક્ષિક, એમજ ચાર મહિનાના અંતે માસી અને સંવત્સર (વર્ષ)ના અંતે સંવત્સરી પ્રતિકમણ કરાય છે. પ્રતિક્રમણ કરવાને આ જ ક્રમ છે, તે પછી ફાગણ માસી પ્રતિક્રમણ ન કરવાનું કારણ સમજાતું નથી. સૂત્રકૃતાંગ અધ્યયન ૨૩ સૂત્ર ૩ ની દીપિકા અને ટીકામાં પૂર્ણમાસી” શબ્દની દીપિકા અને ટીકા કરતા--“માણસૂરિ વાપિ ચાતુર્માસક્રતિથિg” અહિંયા ત્રણ માસી બતાવી છે, તથા જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિના નંદીશ્વરાધિકારમાં દેવ મહોત્સવ માટે જાય છે, તેમાં અન્ય કારણની સાથે જાઉમાણિયા દિવસુ” પાઠ છે. તેની ટીકા ચાતુર્માસ;અહિં ટીકામાં બહુવચન આવવાથી ત્રણ માસી માનેલ છે તથા ઉવવાઈ સૂત્રના શ્રાવકના અધિકારમાં પૌષધના વર્ણનમાં પૂર્ણમાસીને અર્થે ત્રણ ચોમાસી કર્યો છે. આ ઉપરોક્ત પ્રમાણેથી ત્રણેય ચોમાસી મનાવવી સ્પષ્ટ સિદ્ધ છે. પ્રશ્ન ૧૦૪૩ –નિયાવુિં ને અર્થ શું છે? ઉત્તરઃ—ગૃહસ્થનું નિમંત્રણ પામીને કયારેક પણ આહારદિ લેવા અને દરરોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy