SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ હૂં. સમય –સમાધાન 66 તે! મુતિ (માથાને લેાચ) ન કરવા, મુઠિત કરી દીધા હોય તે શિક્ષા (યતના થી ચાલવું વગેરે સમાચારી ) ગ્રહણ ન કરાવવી, શિક્ષા ગ્રહણ કરાવી હાય, તે ઉપસ્થાપિત ( મહાવ્રત આરોપણ ) ન કરાવવા, ઉપસ્થાપિત કરી દીધા હાય તે “ સંમુનિત્ત" ” આહારપાણી સાથે ( એક માંડલે ) ન કરવા. જો સાથે કરી લીધા હોય તા “ સવલત્તર ’” સાથે રહેવું નહિ. આ સૂત્રેામાં દીક્ષા દેવાથી લઈને સવાસ (સાથે રહેવા ) સુધીના બેલ અનુક્રમે આવ્યા છે, જેમાં ઉપસ્થાપિત ( વડી દીક્ષા ) પછી આહાર-પાણી સાથે કરવાનું વિધાન છે, એથી આ સૂત્રથી વડી દીક્ષા પછી જ આહાર-પાણી સાથે કરવા સ્પષ્ટ સિદ્ધ છે અને આ જ વર્ણન ત્રીજા ઠાણાંગના ચાથા . માં પણ બતાવ્યુ છે. બૃહત્કલ્પ ના ૪ ઉ. માં સાધુના અચેત, અનૈષણિક આહાર-પાણી આવવા પર જો વડી દીક્ષા દેવા ચાગ્ય નવદીક્ષિત હાય, તે તેને દેવા અન્યથા પરઠી દેવા, એવુ વન છે, જો આહાર-પાણી ભેગા જ હાય, તો પછી તેને દેવામાં શી વિશેષતા રહે છે ? અર્થાત્ સાથે આહાર-પાણી કરવાથી સમાન જ ગણાશે એથી આનાથી પણ આ જ સિદ્ધ થાય છે કે વડી દીક્ષા ન થવા સુધી આહાર-પાણી અલગ જ રાખવા જોઇએ. ܕܕ આ ઉપરાક્ત પ્રમાણેાથી વડી દીક્ષા દીધા પછી જ આહાર-પાણી સાથે કરવાનુ સિદ્ધ હાવાથી, દીક્ષાના દિવસથી સાથે ન કરવો એ સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૪૧ —શ. ૧ ઉ. ૬ માં સૂક્ષ્મ પાણી નિરંતર પડવાનું વર્ણન છે, દિવસે તા સૂર્યના તાપથી તે ઉપરથી જ નષ્ટ થઇ જાય છે, અને રાત્રે નીચે સુધી આવે છે. આમાં આ શકા ઉઠે છે કે અગાસે (ઉપરથી ખુલી જગ્યામાં) પૂ.જવામાં ઉપરોક્ત અપકાયની વિરાધના થાય છે, તે પછી અગાસે કેમ પૂજાય છે ? ઉત્તર :—સૂક્ષ્મ પાણી પડવાના કારણે શંકા ઉઠાવતા, જે ન પૂજવા સંબંધી દલીલ દીધી છે, તે સંગત નથી. કેમકે પ્રવૃત્તિ કરનાર સાધુને ઇર્માંસમિતિમાં સતત્ સાવધાની રાખવાનું વિધાન છેતેના અનુસારે યાંસમિતિમાં દિવસે જોઇને અને રાત્રે પૂજીને ચાલવા તથા ઉચ્ચાર પ્રસ્રવણ સમિતિમાં પૂજ્યા વગર રાત્રે પરવું નહિ, એવી ધ્રુવ આજ્ઞા છે. આ ઉપ૨ાક્ત શાસ્ત્રીય વિધાનમાં નિર ંતર સૂક્ષ્મ પાણી પડવાના કારણે પૂજ્યાના નિષેધ ન બતાવીને, જ્યારે પણ કામ પડે ત્યારે પૂજ્યા વગર ન ચાલવા, ન પડવા વગેરેના આદેશ દીધા છે. તથા તે સૂક્ષ્મ પાણી માટે ત્યાં જ ભગવતીમાં શીઘ્ર નષ્ટ થવાનું અતાવેલ છે, તેા પછી પૂજવાથી તેની વિરાધના સંબંધી પ્રશ્ન જ કેમ રહી શકે ? જો વિરાધના સ ંબંધી પ્રશ્ન હોય, તેા વાયુકાયની વિરાધના હોવા છતાં પણ ઉભય કાળ પ્રતિલેખન, પૂજવાં વગેરેની ક્રિયા કરવાની આગમમાં ધ્રુવ આજ્ઞા છે. સમવાયાંગ અને દશાશ્રુત સ્કંધમાં પૂજ્યા વગર અને સારી રીતે પૂજવું, ચાલવુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy