SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ < ; સમર્થ–સમાધાન વ્યવહારિક બાહ્ય વિધિ-વંદન અટકાવ્યું, એમ સંભવે છે. આર્ય–સંસ્કૃતિથી પણ આ નિયમ બરાબર લાગે છે. પ્રશ્ન ૧૦૨૫-કારણ દશામાં પાંચ કારણેથી સાવીને સ્પર્શ કરવા છતાં પણ સાધુને પ્રાયશ્ચિત આવે છે? જો આવતું હોય, તે પ્રમાણુ સહિત ખુલાશે લખાવશો જી. ઉત્તર –નિર્મળ વિચાર રાખતા હોય અને સૂત્રોક્ત કારણે સાધુસાધ્વઓને પરસ્પર સંઘટ્ટ થઈ ગયું હોય, પરંતુ જીવ વિરાધનાનું કઈ કારણ બન્યું ન હોય તે તે સંઘટ્ટાનું કઈ ખાસ પ્રાયશ્ચિત્ત નથી. જે જીવ વિરાધના થઈ હોય તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રશ્ન ૧૦૨૬૯–૮૪ લાખ જીવા યોનિઓને ઉલ્લેખ કયા આગમમાં છે ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૫૦ માનીને વર્ણાદિથી ગુણુ કરીને સાત લાખની સંખ્યા પૂરી કરાય છે, પરંતુ મૂળ ભેદ ૫૦ કયા છે? ૫૦ ના નામ કયા સૂત્રમાં છે? સ્થળ બતાવશે જી. ઉત્તર :૮૪ મા સમવાયાંગમાં “જોરાવીરૂ કોળcવમુદ્દાયરાસા પછmત્તા” આ પાઠ છે. આની ટીકામાં પૃથ્વી આદિની ભિન્ન-ભિન્ન નિ, સંખ્યા વગેરેનું વર્ણન છે. તથા પ્રજ્ઞાપના પ્રથમ પદમાં પૃથ્વી આદિના ભેદોમાં “તય નેતે પsamT ggf વનાળ गंधा दे. रसा दे. फासा दे. सहरसग सोविहाणाई संखेज्जाई जोणिप्पमुह सयसहस्साई" એ પાઠ છે. આ પાઠથી સંખ્યા પૂર્તિના માર્ગનું દિગદર્શન થાય છે. તે અનુસારે ત્યાં જ ટીકામાં જ પણ કંઈક વર્ણન છે. અને પ્રવચન સારદ્વારના ૧૫૧ મા દ્વારમાં ૯૮૨-૮૩ અને ૮૪ ગાથામાં પણ આ વિષયક વર્ણન છે. પૃથ્વીકાયના મૂળ ભેદ ૫૦ નહિ, પરંતુ ૩૫૦ માને છે. તેમના નામનિશ તે જોવામાં આવ્યા નથી, પરંતુ ઉપરોક્ત પ્રમાણેના આધારે પ્રથ્વી વગેરેના સામાન્ય ભેદ ૧ લાખની પાછળ ૫૦ માનીને પછી વર્ણાદિ સાથે (૨ હજાર) ગુણું કરવાથી બતાવેલ સંખ્યા થાય છે. આ અપેક્ષાએ લાખની પાછળ ૫૦ લે છે. પ્રશ્ન ૧૦૨ –નંદી સૂત્રમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉકાલિક કહેલ છે, પરંતુ કાણુગ અધ્યયન ૩ ઉ. ૧ માં ત્રણ પ્રજ્ઞપ્તિ કાલિક કહેલ છે, જેમાં ચંદ્ર પ્રાપ્તિ પણ છે? ઉત્તર-નંદી સૂત્રમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિને કાલિક અને સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉત્કાલિક કહેલ છે. પરંતુ બન્નેને ઉકાલિક કહેલ નથી. ઠાણુગમાં બન્નેને કાલિક કહેલ છે, સૂર્ય પ્રજ્ઞપ્તિને અન્યત્ર પ ઉત્કાલિકમાં લીધેલ છે. ઠાણાંગ અને નંદી બન્નેમાં ત્રણેય પ્રજ્ઞપ્તિને કાલિકમાં લીધેલ છે. કદાચ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના બદલે સૂર્ય પ્રજ્ઞપ્તિ લખવામાં આવી ગઈ હોય. અન્ય વિશેષ પ્રમાણ આના માટે ધ્યાનમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy