SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] સમય –સમાધાન અનુકંપા ભાવથી તા જૈનધર્મની બધી પર પરાઓમાં વિક્ષિપ્તચિત્ત ભિક્ષુ વગેરેને ખાંધવા તથા છેડવાની પરપરા પ્રચલિત છે. તેમાં કોઈ દોષ મનાતા નથી. અને ન તે કઈ પ્રાયશ્ચિત પણ લેવાય છે. આ જ ભાવને સ્પષ્ટ કરતાં ભાષ્યકારે ઉક્ત સૂત્રને ઉપસ’હાર કરતા સ્પષ્ટ લખ્યું છે કે જો શય્યાત્તરને ત્યાં પણ વાછરડા વગેરે છેાડેલા ભાગીને અગ્નિમાં, પાણીમાં, તથા ખાડા આદિમાં પડીને મરવાની સ્થિતિમાં હોય, તેને અનુક ંપા ભાવે બાંધી શકાય છે. એજ રીતે જો ગાઢ બંધનના કારણે દોરડામાં ફસાઇને કાઈ પશુ વગેરે તરફડી રહ્યા હોય અથવા મરી રહ્યા હાય અથવા અગ્નિમાં મળવાની સ્થિતિમાં હાય, તે તે ખાંધેલાને છેડી પણ શકાય છે. પ્રશ્ન ૧૦૨૧:——શ્રી કેવળી ભગવાન્ સિદ્ધ શીલા સ્થિત બધા સિદ્ધોની આદિ જેઈ અને બતાવી શકે છે કે નહિ ? ઉત્તર :—ભગવતી શ. ૮ ઉ. ૨માં તથા નંદી વગેરે સૂત્રોમાં બતાવ્યું છે કે કેવળી ભગવાન સ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણે છે અને જુએ છે. કોઇ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કેળિએથી ન જાણેલ અને ન જોયેલ રહેતા નથી. જ્યારે કિ ંચિત્પર્યાય માત્ર પણ જાણવુ-દેખવુ' શેષ રહેતું નથી, ત્યારેજ તે સન સ`દશી મનાય છે. એથી સ્પષ્ટ છે કે કેવળી, બધા સિદ્ધોની ભૂત, ભવિષ્ય વગેરે બધી પર્યાય જુવે છે, પરંતુ સમય વગેરે એટલે ન હેાવાથી બતાવી શકતા નથી. પ્રશ્ન ૧૦૨૨ :-પુદ્ગલ-પરમાણુઓનું પરિવર્તન પર્યાય રૂપે જ થાય છે કે મૂળરૂપે ? જેમ પૃથ્વી-કાયના પુદગલ અપકાય અને વનસ્પતિ કાયના થઈ શકે છે ? ધાતુના પુદ્દગલ કાદિ થઇ શકે છે ? સાનાના પુદ્દગલ ચાંદી કે લેાતા રૂપે થઈ શકે છે કે મૂળમાં જ રહે છે ? જો પિરવતન થાય છે તા અન તકાળે કે અલ્પકાળે ઉત્તર ઃ—જે પુદ્ગલ હમણા પૃથ્વી—કાય પણે છે, તે જ પુદ્ગલ કાલાન્તરે અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયપણે થઈ જાય છે. એમ અધીકાયના પુદ્ગલ પરસ્પર રૂપે સમજી લેવા જોઈ એ. ધાતુના પુદ્ગલ અન્ય ધાતુ રૂપે તથા કાષ્ઠાદિ રૂપે બની જાય છે. અનંત કાળથી તે! બધા પુદ્ગલાના બધા પ્રકારના રૂપ બની જ જાય છે, પરતુ રહેશે તે પુદ્ગલના પુદ્ગલ જ. તેની ધર્માસ્તિકાય વગેરે બીજી વસ્તુઓ બનશે નહિ. પ્રશ્ન ૧૦૨૩ :—શ્રી ઠાણાંગજી સૂત્રના ૫ મા ઠાણામાં પાંચ કારણથી પાંચ મહાનમાં વ્રુત્ત્તત્તળુ યા ઉત્તત્તણ્ યા બાદ્યમ-આવા પા છે, જેમાં બતાવેલ પાંચ કારણેાથી નદી ઉતરતા સાધુ ભગવાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે, આવુ` ફરમાવવાનું રહસ્ય શું છે? અર્થાત્ પાંચ કારણેાથી ઉત્તરતા થયા સાધુએને પ્રાયશ્ચિત આવે છે કે નહિ? ને આવતુ હોય, તે કેવી રીતે અને ક્યુ' પ્રાયશ્ચિત આવે છે? પ્રમાણ સહિત લખાવશેાજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy