SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૮૩ બાંધવું છેડવું શાસ્ત્ર સંમત હોઈ શકે છે? જે ષવશ બાંધવું–છેડવું ખુલ્લું રહેતું હોય અને અનુકંપાની દ્રષ્ટિએ નિષેધ હોય, તે તે આખી જૈન પરંપરા જ બદલાઈ જાય છે. જે બન્ને દ્રષ્ટિએથી બાંધવાં-છોડવાનો નિષેધ મનાય, તે “ઢોસ્તુળ વિચાર” પદની સાર્થકતા રહેતી નથી. તે પદ વ્યર્થ થાય છે. અને ત્યારે સૂત્રનું રૂપ “ ને મિષ્ણુ બનવા તળનારૂ” આદિ રૂપે હોવું જોઈતું હતું. બીજી વાત એ છે કે જે અનુકંપા (દયા) ભાવથી ત્રસ પ્રાણીને બાંધવા-છોડવાને નિષેધ અભિષ્ટ (ઈચ્છિત) હોત, તે ત્રસ પ્રાણીથી બેઈન્દ્રિય આદિ પ્રાણિઓનું પણ ગ્રહણ થવું જોઈતું હતું. પરંતુ ભાષ્યકારને આ ઈચ્છિત નથી. તેઓએ સ્પષ્ટ રૂપે વાછરડા આદિનું ગ્રહણ કર્યું છે. જે ત્રણ પ્રાણથી બેઈન્દ્રિય આદિનું ગ્રહણ ઇષ્ટ હોત તે ભિક્ષુ પિતાના જલપાત્રાદિમાં પડીને મુર્શિત થયેલ માંખી આદિને કપડામાં બાંધીને કેમ રાખે અને મુરછ દૂર થયા પછી ઠીક થાય ત્યારે તેને કેમ છડે? અંતે માખી પણ ત્રણ પ્રાણી છે, અહિં અનુકંપા નિમિત્તે બાંધવાનું પ્રાયશ્ચિત લેવું જોઈશે, જે શાસ્ત્ર સંમત નથી. આ જ રીતે વિક્ષિપ્ત-ચિત્ત આદિ સ્થિતિમાં પિતાના સાથી સાધુને પણ ભિક્ષુ બાંધે છે તથા સારું થઈ જાય ત્યારે છેડે છે. આમાં કઈ પ્રકારનું પ્રાયશ્ચિત કહેલ નથી. જે અનુકંપ નિમિત્ત બાંધવાનું પ્રાયશ્ચિત હોત, તે અહિં પણ પ્રાયશ્ચિત ગ્રહણ કરવાની પરંપરા હોત. મૂળ પાઠ ઉપર ઊંડાણથી વિચાર કરાય, તે શું મૂજનું દોરડું, કાષ્ઠ પાશ, ચર્મપાશ, આદિ સાધુ પિતાની પાસે રાખે છે ? આ સ્પષ્ટ છે કે આ વસ્તુઓ સાધુ પાસે હતી નથી. આ વસ્તુઓ તો ગૃહસ્થના ઘરે જ પશુ વગેરેને બાંધવા માટે હોય છે. એથી શધ્યાત્તરને ત્યાં દીન–વૃત્તિથી સાધુ, પશુ આદિને બાંધે કે છેડે નહિ. આ. આ સૂત્રને પષ્ટ અર્થ છે અને આ જ ભાવને ભાષ્યકારે નિર્દેશ કર્યો છે. નિશીથ સૂત્રમાં આવેલ “કોલુણ” શબ્દનો અર્થ કલુણભાવ-કરૂણ ભાવ છે, અનુ. કંપા નહિ. અનુકંપા અને કરૂણ ભાવ અલગ–અલગ અર્થ સૂચક છે, સમાનાર્થક નથી. આ જ કારણ છે કે સ્થાનાંગ સૂત્રમાં અનુકંપા અને કાણિક દાનને અલગ-અલગ માની ને ૧૦ પ્રકારના દાન બતાવ્યા છે જે અનુકંપા અને કારુણ્ય એક જ હોત, તે તેનું અલગ–અલગ નિર્દેશન ન કરત. એથી જ્યાં સ્વાર્થ–બુદ્ધિ અને મહ-બુદ્ધિ હોય, તે કરૂણભાવનું સ્થાન છે અને જ્યાં નિરપેક્ષ પદુઃખ નિવારણ રૂપ દયા ભાવ હોય, તે તેને અલગ-અલગ નિર્દેશ ન કરત. એથી જ્યાં સ્વાર્થ બુદ્ધિ અને મહ-બુદ્ધિ હોય, તે કરૂણ ભાવનું સ્થાન છે અને જ્યાં નિરપેક્ષ પર દુઃખ નિવારણ રૂપ દયા ભાવ હોય, તે અનુકંપાનું સ્થાન છે. ઉક્ત વિવેચનથી આ સપષ્ટ થઈ જાય છે કે નિશીથ સૂત્રને કેલુણ શબ્દ કરૂણ ભાવમાં છે. અનુકંપા ભાવમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy