SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૮૧ કૃષ્ણ-પાક્ષિકને શુકલ-પાક્ષિક થાય છે, ત્યારે મિથ્યાત્વ અવસ્થામાં જ થાય છે. કઈક જીવને તે શુકલ-પાક્ષિક થતાં જ શીધ્ર સમકિત પ્રાપ્ત થઈ જાય છે અને કેઈને વિલંબથી. વિલંબમાં પણ કોઈને એક ભવ પછી, કોઈને બે ભવ પછી યાવતું કોઈને છેલ્લા ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ થશે શુકલ-પાક્ષિક થયા પછી જ. જે જીવને શુકલ-પાક્ષિક થયા પછી જલદી સમકિત આવી ગઈ હશે, તે જીવ તે પ્રતિપાતી થઈને અવશ્ય અનંતકાયમાં જશે. આવી દશાવાળાને સંસાર પરિત નથી થયે સમજે. અસંખ્ય કાળથી વધારે સંસાર–પરિતવાળા સંસારમાં રહેતા નથી અને અનંતકાયમાં જતા નથી. એથી આ સંસારપરિત સમકિત પ્રાપ્તિ પછી જ થાય છે. સમકિત વાળાનો તો અનંત સંસાર પણ શેષ માની શકાય છે, પરંતુ પરિત વાળાને નહિ. આ અપેક્ષાએ સંસાર ઘટ બતાવ્યું છે. ભ. શ. ૩ ઉ. ૧ માં સનસ્ કુમાર ઇંદ્ર ભવ સિદ્ધિક છે, ઈત્યાદિ ૧૨ બેલની પૃચ્છામાં સમદષ્ટિ પછી જ પરિત-સંસારીનું વર્ણન આવ્યું છે. આથી સ્પષ્ટ છે કે સમતિ પ્રાપ્તિ પછી જ પરિત–સંસારી થાય છે, પહેલા નહિ. ' શ. ૨૩ માં આયુકર્મ આશ્રી કૃષ્ણ--પાક્ષિકને ભાંગો બતાવ્યું છે, તથા મિથ્યાદષ્ટિ અને અજ્ઞાનીના લાંગાને જોતાં સ્પષ્ટ જણાય છે કે મિથ્યાત્વી, સમદષ્ટિ થઈને તે જ ભવમાં મોક્ષ જઈ શકે છે, પરંતુ કૃષ્ણ-પાક્ષિક નો શુકલ-પાક્ષિક થઈને તે જ ભવમાં મેક્ષે જઈ શકતો નથી. એથી શુકલ-પાક્ષિક પહેલા જ થાય છે પ્રશ્ન ૧૮૧૯ –ચત્નાથી સાધુ નદી ઉતરે, તો તેનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં બતાવ્યું છે? ઉત્તર –નદી ઉતરવાના નામથી સ્વતંત્ર પ્રાયશ્ચિત તે મારા જેવામાં આવ્યું નથી પરંતુ નદી ઉતરવાથી અપકાય, વનસ્પતિકાય, અને બેઈન્દ્રિય આદિ ત્રસકાયની જે વિરાધના થાય છે, તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું જ જોઈએ. યત્ના પૂર્વક ગોચરી ગયેલ સાધુને પામળે, વયવમળઆદિ થયું હોય, એવું ધ્યાનમાં ન હોવા છતાં પણ ઈર્યાવહી પડિકામણ પ્રાયશ્ચિત રૂપે કરે છે, અર્થાત્ ગૌતમાદિ ગણધર જેવા સાવધાની રાખવાવાળા મહાપુરૂષ દ્રશ્ય વિરાધના ધ્યાનમાં ન હોવા છતાં પણ ઇવહી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિતરૂપે કરીને મિચ્છામિ દુક્કડ દે છે, તે પછી નદી ઉતરવામાં તો અવશ્ય વિરાધના દેખાય છે, આમાં પ્રાયશ્ચિત કેમ નહિ? અર્થાત્ છે જ. એક મહિનામાં ત્રણ અને વર્ષમાં ૧૦ ઉદકલેપ લગાવવામાં સબલ–દેષ લાગે તેમ બતાવેલ છે. મહિનામાં ૨ અને વર્ષમાં ૯ લગાવે તે સબલ-દોષ તે નથી, પરંતુ દોષ તે છે જ. જ્યારે દોષ છે તે પ્રાયશ્ચિત પણ અવશ્ય છે જ. જેમ ગોચરીની પ્રભુ-આજ્ઞા હોવા છતાં ઈર્યાવહી પડિકમણુરૂપ તથા મિચ્છામિ દુક્કડંરૂપ દંડ છે, તેમજ આવશ્યકતાથી વિધિ અનુસારે નદી ઉતરતા પણ અપકાય, વનસ્પતિકાય આદિની વિરાધનાને “નિશીથ'માં વણિત દંડ અવશ્ય સમજ જોઈએ, ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy