SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬j સમર્થ–સમાધાન તે જલસહિત સ્થળમાં વનસ્પતિ પણ ઉત્પન થાય છે, એવી સંભાવના છે. તે પાછું અને વનસ્પતિ આદિથી સ્થળચરાદિ તિર્યંચોને નિર્વાહ સંભવે છે. પ્રશ્ન ૧૦૮ -તિષિઓને ઉદ્યોત ૧૦૦ એજન ઊંચે અને ૧૦૦૦ જન નીચે આવ્યો છે, તો શું શનિશ્ચરના તારાને પ્રકાશ પણ ઊંચે ૧૦૦ એજન હેય છે, અને ચંદ્રમાં સમભૂમિથી ૮૮૦ એજન અને સલિલાવતી વિજય સમભૂમિથી ૧૦૦૦ જન ઊંચી છે, તે ચંદ્રમાને પ્રકાશ આખી વિજયમાં પડે છે કે નહિ? ઉત્તરઃ—ઊંચે લેકમાં કાળ દ્રવ્ય હોતો નથી, એવો શાસ્ત્રમાં ખુલાશો છે. એથી શનિશ્ચરના તારને પ્રકાશ ઊંચે તે વિમાનની દવાજાપતાકા સુધી જ સમજવો, વધારે નહિ. ચંદ્રમાને પ્રકાશ સંપૂર્ણ સલીલાવતી વિજયમાં સમજે અર્થાત્ ચંદ્રમાને પ્રકાશ પણ ઊંચ-નીચે મળીને ૧૯૦૦ એજન સમજે જોઈએ. પ્રશ્ન ૧૦૦૯ –વેદનીય કમની ઉદીરણા પ્રથમથી છઠ્ઠા ગુણ-સુધી અવશ્ય થાય છે કે નહિ? જુલાક-નિગ્રંથમાં ઉદીરણું, આયુષ્ય–વેદનીય છેડીને છ કર્મોની માની છે, તે શું પુલોકમાં કેવળ એક ૭ મું ગુ. જ સંભવે છે? ઉદીરણને પૂરો ખુલાશે સૂત્રમાં ક્યાં મળે છે? શેષ નિયઠેમાં પણ કેટલા-કેટલા ગુ. સંભવે છે? જુલાક-લબ્ધિ માત્ર શક્તિને કહે છે કે લબ્ધિને પ્રવેગ કરવાથી? લબ્ધિ પ્રગથી આ ભયંકર વિનાશ કરવા છતાં પણ શું નિગ્રંથ રહી શકે છે? લબ્ધિને પ્રાગ શું અપ્રમત્ત અવસ્થામાં થાય છે? ઉત્તરઃ–પહેલા ગુ. થી છઠ્ઠા ગુ. સુધી વેદનીય કર્મની ઉદીરણા થવી અવશ્ય સંભવે છે. કેમકે પહેલાથી છઠ્ઠા ગુ. સુધી ત્રીજા ગુ. ને છેડીને ૭ તથા ૮ કર્મોની ઉદીરણું બતાવી છે. જે વેદનીય-કમની ઉદીરણની આવશ્યક્તા ન હોત, તો ૭, ૮ તથા ૬ કર્મોની ઉદીરણા બતાવી હતી પરંતુ એવું બતાવ્યું નથી. એથી વેદનીયની ઉદીરણા અવશ્ય સંભવે છે. આ ઉદીરણા આદિ ને જોતાં પુલાકમાં એક સાતમું ગુ. જ લાગે છે કેટલાક પાના અને પુસ્તકમાં બે ગુ. પણ પુલાકમાં બતાવ્યા છે. ખાસ જ્ઞાની જાણે. ઉદીરણાનું વર્ણન કર્મગ્રંથાદિ ગ્રંથોમાં છે, પરંતુ સૂત્રોમાં જોવામાં આવ્યું નથી. બકુશ અને પ્રતિસેવનામાં છઠું અને સાતમું આ બે ગુ. છે. કષાય કુશીલમાં છઠ્ઠા થી ૧૦ મા સુધી પાંચ ગુ. છે. નિગ્રંથમાં ૧૧ મું અને ૧૨ મું-આ બે ગુ. છે. સ્નાતક માં ૧૩ મું. અને ૧૪ મું આ બે ગુ. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy