SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે ઉત્પન્ન થઈ શકે છે, એમ અપ, વનસ્પતિ, ઈન્દ્રિય, ઈન્દ્રિય ચૌરેન્દ્રિય, અસંસી અને સંસી તિર્યંચ પંચેન્દ્રિય, આ મનુષ્યમાં ઉપરોક્ત ત્રણ-ત્રણ ગમ્મા ગણવાથી ૨૪ ગમ્મા થયા. અસંજ્ઞી મનુષ્ય કેવળ એક ત્રીજા ગમ્મામાં જ સંખ્યાતા સુધી સમજવું, એમ ૨૫ ગમ્મા થયા અને સંસી મનુષ્યના નવેય ગમ્મામાં સંખ્યાતા સુધી ઉત્પન્ન થાય છે. એમ ૩૪ ગમ્મામાં સંખ્યાતા સુધી ચને શેષ પ૦ ગમ્મામાં અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. નોટ –શાસ્ત્રકાર ઓધિક ગમ્માને કયાંય પણ તોડતા નથી. એથી ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તરમાં ગમ્માની સંખ્યા તે અનુસારે જ બતાવી છે અને થેકડા વાળા બીજી રીતે કહે છે, તે યાદ રહે. પ્રશ્ન ૧૦૪ –સંજ્ઞી મનુષ્ય પહેલી નરકમાં જાય, તેના ૧૦ નાણુતા બતાવ્યા, જેમાં જઘન્યના ત્રણ ગમ્મામાં ૮ નાણતા બતાવ્યા અને સમુદઘાતની ધારણ કેઈની ત્રણની છે અને કોઈની પાંચની છે, કેમકે જઘન્ય અવગાહના પ્રત્યેક આગળની માની છે, તેમાં તેજસ અને વૈશ્યિ-સમુદઘાત મળી શકે છે? ઉત્તર:–સંજ્ઞી મનુષ્ય પહેલી નરકમાં જાય, તેના ૮ નાણત્તા બતાવ્યા છે, જેમાંથી જઘન્ય ત્રણ ગમ્મામાં ૫ નાણત્તા છે. તેની પ્રત્યેક આંગુલની અવગાહના હોવા છતાં પણ વૈકિય અને તૈજસ સમુદઘાત યુક્ત પાંચ સમુદઘાત ભગવતીના મૂળ પાઠમાં બતાવેલ છે. પ્રશ્ન ૧૦૫ –અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકમાં જાય તે, સંખ્યાતા જાય કે અસંખ્યાતા ? ઉત્તર:–અસંજ્ઞી તિચ પંચેન્દ્રિય પહેલી નરકમાં એક સમયમાં અસંખ્યાતા જઈ શકે છે. ભ. શ. ૨૪ ઉ. ૧ તથા શ. ૧૩ ઉ. ૧ માં આને ખુલાલે બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૦૬ –આંગુળના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળ તિર્યચ, નરકમાં નથી જતા. પરંતુ નરકમાં જનાર તિય"ચની દ્ધિ છેએવું “શીઘ્ર બોધ માં છે, તો તે કેવી રીતે? ઉત્તર : આંગુળના અસંખ્યાતમા ભાગવાળા તિર્યંચ નરકમાં જઈ શકે છે એવું ભ. શ. ૨૪ આદિથી સ્પષ્ટ છે. જે, “શીઘબધ” માં નિષેધ પણ કર્યો હોય, તે તે નિષેધ કરે બરાબર નથી એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૦૦૭:–અઢી દ્વીપ બહાર વર્ષો થાય કે નહિ? સ્થળચરાદિ શું ખાય છે? ઉત્તર:–દેવાદિ વર્ષાવી દે તે વાત અલગ છે, બાકી સ્વાભાવિક વૃષ્ટિ મનુષ્ય ક્ષેત્રની બહાર થતી નથી. જેમકે-અહિં પદ્મદ્રહ આદિમાં પાણી ઉત્પન્ન થાય છે, તેમ ત્યાં (મનુષ્ય ક્ષેત્રની બહાર) પણ પૃથ્વીના અનેક સ્થળો ઉપર પાણી ઉત્પન્ન થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy