SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૨૨૯ ભૂત બની શકે છે. જેવી રીતે, નામ કર્મના ઉદયથી પ્રાપ્ત મનુષ્યગતિ, જીવને માટે નરક વગેરે ગતિ એગ્ય પાપ-બંધનું કારણ પણ બની શકે છે. સ્વર્ગ વગેરે ગતિ ગ્ય પુણ્ય-બંધનું કારણ પણ બની શકે છે, અને સિદ્ધગતિ એગ્ય ધર્મનું કારણ પણ બની શકે છે. તેમજ પાપ, પુણ્ય અથવા ધર્મને આત્મા જ પિતાનાં શુભ-અશુભ પુરુષાર્થથી કરે છે. પ્રશ્ન ૮૧૧ –સાત નય સમ્ય જ્ઞાનમય છે કે મિથ્યાજ્ઞાનમય, તથા તેને પાંચ જ્ઞાનમાંથી કયા જ્ઞાનમાં સ્વીકાર કરવું જોઈએ? જવાબ:–સાતેય નય સમ્યગૂજ્ઞાનમય છે. તથા સાતેય નયઆભાસ-દુર્નય, મિથ્યાજ્ઞાનમય છે, નાને સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. પ્રશ્ન ૮૧૨ –મિથ્યાજ્ઞાન પૂર્વક કરેલા સાધુ આચાર તથા શ્રાવકઆચારની શુભ કિયાને સમ્યગ્ર વ્યવહારનય, મેક્ષ-માર્ગમાં સ્વીકાર કરે છે કે નહિ? જવાબ –જે જીવનું મિથ્યાજ્ઞાન વ્યવહારમાં પ્રગટ છે, તે જીવની મિથ્યાજ્ઞાનપૂર્વક કરાયેલ સાધુ આચાર કે શ્રાવક આચારની શુભ કિયાને સમ્યગ્રવ્યવહારનય ક્ષમાર્ગમાં સ્વીકાર નથી કરતા. પરંતુ જે જીવનું મિથ્યાજ્ઞાન વ્યવહારગમ્ય નહિં, પણ જ્ઞાનીગમ્ય છે. તેમ જ વ્યવહારમાં જેનું જ્ઞાન સમ્યગૂજ્ઞાન પ્રતીત થાય છે, તે જીવના મિથ્યાજ્ઞાનયુક્ત પણ કરાયેલી સાધુ આચાર કે શ્રાવક આચારની શુભ ક્રિયાને સમ્યગ્ગવ્યવહારનયમોક્ષમાર્ગમાં માને છે, કેમકે સમ્યગ્ગવ્યવહારનયની દષ્ટિ વ્યવહાર સુધી છે, તેમજ વ્યવહારમાં તે જીવનું જ્ઞાન, સમ્યજ્ઞાન દેખાય છે. આથી સમ્યગ્ગવ્યવહારનય તેની શુભ ધર્મ-કિયાને મોક્ષમાર્ગમાં માને છે. પ્રશ્ન ૮૧૩ –થોડાક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુઓનાં સ્કની તથા શરીર પરમાણુઓમાં અવસ્થિત આત્મ-દ્રવ્યની ગતિ કે સ્થિતિમાં ધર્મા સ્તિકાય કે અધર્માસ્તિકાયના સ્કન્ધ નિમિત્ત છે, દેશ નિમિત્ત છે કે પ્રદેશ નિમિત્ત છે? જવાબ:–સંપૂર્ણ લોક આકાશગત જીવ-દ્રવ્ય (કેવળી સમુદ્દઘાત અવસ્થાવાળા) અને અજીવ-દ્રવ્ય (અચિત મહાત્કંધરૂપ)ની ગતિ કે સ્થિતિને માટે ધર્માસ્તિકાય કે અધ મસ્તિકાયના સ્કંધ અને પ્રદેશ સહાયક છે, પરંતુ જે જીવ-અજીવ દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપેલ નથી, તેમની ગતિ કે સ્થિતિને માટે તેનાથી અવગહિત આકાશસ્થ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાં દેશ કે પ્રદેશ સહાયક છે. પ્રશ્ન ૮૧૪–શું સાધુ-સાધ્વી, માંસ, માછલાં તેમ જ ચરબી વગેરે અભક્ષ પદાર્થોને તથા તેનાથી સંયુક્ત ઔષધ, વસ્ત્ર વગેરેને ઉત્સર્ગ–માર્ગમાં ભેગ ઉપભેગ કરી શકે છે કે નહિ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy