SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૨૫ પ્રશ્ન ૭૬૮–૨થાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પછી પૂર્વનાં ક્ષાપશમિક ચારિત્ર છૂટી જાય છે, કે યથાખ્યાત ચારિત્રમાં મળી જાય છે, વિલીન થઈ જાય છે? જવાબ :- આ જ રીતે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પછી લાપશમિક ચારિત્ર છૂટી જાય છે. આ પ્રશ્ન ૭૬૯–ઉપશમ-સમકિતમાં કેઈ કાળ કરે છે કે નહિ? ઉપશમ શ્રેણુમાં તે કાળ કરે છે, પણ ઉપશમ સમકિતમાં કાળ કરે છે કે નહિ? જવાબ –ઉપશમ સમકિતમાં જીવ કાળ કરી શકે છે, એવી ધારણા છે અને ચેથા કર્મગ્રંથમાં, ગેમદસાર વગેરેમાં પણ આને સ્પષ્ટ ઉલ્લેખ છે. પ્રશ્ન છ૭૦ –સૂત્ર શ્રી ચંદપન્નતીના સત્તરમાં પ્રતિ પાહુડામાં નક્ષત્રમાં ભેજનને અધિકાર છે, તેમાં લખ્યું છે કે અમુક-અમુક નક્ષત્રોમાં અમુક અમુક ભજન કરીને જાય, તે કાર્ય સિદ્ધ થાય, જેમ કે રેવતી નક્ષત્રમાં જળચર, કુલન (ફુગ) અથવા પાનું ભજન, શતભિષામાં તુંબડાનું ભેજન, જયેષ્ઠા નક્ષત્રમાં કેહલેનું (કેળાનું) ભેજન, ઉત્તરા ફાલ્ગણુમાં લસણુ કંદ અથવા આલુનું ભેજન કરીને જાય, તે કાર્ય સિદ્ધ થાય. ઈત્યાદિ ૨૮ નક્ષત્રોના વિષયમાં ભેજનને અધિકાર લખે છે, અને બાળ-બ્રહ્મચારી ૧૦૦૮ શ્રી અલક પિજી મહારાજે હિંદી અનુવાદ કરેલો છે. હવે આમાં ભાજન કરીને જવાનું લખ્યું છે, તે સાંસારિક કામને માટે લખ્યું છે કે કયું કાર્ય સિદ્ધ થવા માટે લખ્યું છે? આવા માંસ વગેરે અભક્ષ ચીજોનું શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી વર્ણન આવ્યું છે, અગર આ વિષયમાં કઈ બીજે અર્થ નીકળતું હોય, તો પૂછીને ખુલાસા સાથે ફરીવાર લખવાનું કષ્ટ ઉઠાવશે. આ સૂત્રને વાંચવા માટે શ્રાવકને મનાઈ છે, આવું કઈ સંત સતિયાજી કહે છે, આખું શું કારણ? સત્તરમાં પાહુડામાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે, હે ભગવાન, આપના મતમાં નક્ષત્રોમાં કયા પ્રકારનો ભેજન વિચાર કહ્યો છે, એટલે કે શું ભેજન કરીને જાય, તો કાર્ય સિદ્ધ થાય? આપના મતનો અર્થ “જૈન ધર્મ” જ છે કે બીજે? જવાબઃ-નક્ષત્રેના ભજન સંબંધી જે પાઠ છે, તે ભગવદ્ વાણીની પરંપરામાં મેળ નથી ખાતે. વીતરાગ વાણીમાં આ પ્રકારની અભક્ષ્ય ભક્ષણ ૫ પરુપણું કેઈ દિવસ ન હોઈ શકે, “અહિં આપના મત”ને અર્થ જેન–ધર્મ જ થાય છે, પરંતુ આ પાઠ ભગવાનના નામથી સ્વાથી પુરુષ પ્રક્ષેપ (ઘૂસાડી દીધે હાય) કરી દીધું હોય, એવું લાગે છે. ભગવાન તે આવી સાવધવાણી કેઈ દિવસ નથી ફરમાવતા. આવા કારણોથી જ સાધારણ મનુષ્યને માટે આ સૂત્રને વાંચવાની પૂર્વાચાર્યોએ મનાઈ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy