SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સમય –સમાધાન ૨૧૪ કારણ માને છે, આટલા માટે એકાન્ત દૃષ્ટિથી કોઈ કોઈ ને અને કોઈ બીજાને જીવ વગેરે પદાર્થાના હેતુ માનવાને કારણે ક્રિયાવાદીના ૧૮૦ ભેદ થાય છે. તેઓ શુદ્ધજ્ઞાનિએ વડે મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ૩૬૩ માંથી તેમનાં ૧૮૦ લે છે અને તેનું વર્ણન સૂત્રકૃતાંગના ખીજા અધ્યયનમાં બતાવ્યું છે. નાટ—તે કોઈ ને કાઈ પ્રકારથી જીવ વગેરે પદાર્થાને સ્વિકારે છે, તેથી ક્રિયાવાદી છે અને યથાર્થ ન માનવાથી મિથ્યા દૃષ્ટિ છે. પછી આયુષ્યને બધ પ્રશ્ન ૭૬૬ ઃ—ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા થાય છે, કે નહિ ? તેનુ' પ્રમાણ શું છે ? જવાબ ઃ—જ્ઞાયિક–સમકિત માત્ર મનુષ્ય ગતિમાં (ક ભૂમિને ) જ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક–સમક્તિ પ્રાપ્તિની પહેલાં જે જીવોએ ચારેમાંથી કોઈપણ ગતિનું આયુષ્ય આંધી લીધુ' હાય, તો તે જીવાને ક્ષાયિક-સમતિની પ્રાપ્તિની પછી પણ જ્યાંનું આયુષ્ય માંધ્યુ છે, ત્યાં જવું જ પડે છે. એ પણ ધ્યાનમાં રહે કે પ્રથમ ચાર નરકનાં સિવાય બીજી કોઈપણ નરકના, સ્થળ ચર-યુગલિકાના સિવાય બીજા કોઈ તિય ચના અને ૩૦ અકમ ભૂમિના મનુષ્યના સિવાય ખીજા કોઈ મનુષ્યનું આયુષ્ય માંધ્યા પછી, તે મનુષ્યને ક્ષાયિક-સમ્યકત્વ પ્રાપ્ત નથી થતું, આયુષ્ય બંધની પહેલાં ક્ષા. સ. ની પ્રાપ્તિ થઈ ગઈ હોય, તો પછી તે મનુષ્ય કોઈપણ ગતિનું આયુષ્ય ન માંધતાં એ જ ભવમાં મેક્ષ જાય છે. આ વાત ભ. સૂત્ર શ૦ ૧ ૬. ૮ નાં અં અને ટીકામાં સ્પષ્ટ છે, તથા ચોથા કમ ગ્રંથની ૨૫મી ગાથાનાં અન પણ આ જ ભાવ છે. જેમને નરક કે દેવના આયુષ્ય-બંધની પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તેા તેમને નરક કે દેવ–ભવમાં એક મનુષ્યનું આયુષ્ય બાંધવું પડશે તથા જેણે સ્થળચર-યુગલિયાનુ કે ૩૦ અકમ ભૂમિનું આયુષ્ય બાંધ્યું હોય, તેમને એકવાર દેવનુ, પાછુ દેવભવમાં મનુષ્યનું આ રીતે બે વાર આયુષ્ય બાંધવું પડશે. આ વાત પણ ક ગ્રન્થની ઉપર કહેલી ગાથાના અથી સ્પષ્ટ છે. : પ્રશ્ન છ૬૭ —કેવળ જ્ઞાન થયા પછી પહેલાના મતિ-શ્રુતિ વગેરે જ્ઞાનાનું શું થાય છે? છૂટી જાય છે કે કેવળ જ્ઞાનમાં વિલીન થઈ જાય છે ? જવાબ ઃ—મતિ વિગેરે ચારેય જ્ઞાન ક્ષાાપશમિક છે, તેથી કેવળજ્ઞાન થતાંજ છૂટી જાય છે. જમૂદ્રીપ પ્રાપ્તિમાં ભગવાન ઋષભદેવના વનમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં ટીકાકાર કહે છેઃ- “કેવલ મસહાય –” ન‡મિ છાઉમથિએ નાણું.” તથા પ્રજ્ઞાપનાના ૨૯મા પટ્ટમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં ટીકાકાર કહે છે કે કેવલ –એક મત્યાદ્વિજ્ઞાન નિરપેક્ષાત્, “ નતૂઢમિઉ છાઉમથિએ નાણું ” (નશ્ચેતુ છાૠમસ્થિકે જ્ઞાને) ઇત્યાદિ પ્રમાણે!થી ચાર જ્ઞાનનુ છૂટવું સ્પષ્ટ છે. '» Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy