SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સમર્થ –સમાધાન જવામ :—બંદુકજી ભગવાનની પાસે આવ્યા, તે વિસામાં ભગવાન નિત્યભાજી (હ ંમેશા ભેાજન કરવાવાળા) હતા, એટલે કે તે નજીકનાં દીવસોમાં તેમણે તપસ્યા કરી ન હતી. પ્રશ્ન ૭૬૦ઃ—સાતમી નરકમાં જીવને સમ્યક્ત્વ આવે છે, તે પર્યાપ્તા અવસ્થામાં કઈ પણ સમયમાં આવી શકે છે કે કોઈ કાળ નિશ્ચિત છે અને ક્યુ સમ્યક્ત્વ આવે છે ? જવાબ :—સાતમી નરકના પર્યાપ્તજીવાને આયુષ્ય બંધ અને મૃત્યુ સમયનાં સિવાય કોઈપણ સમયે સમકિત પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં ક્ષાપશમ, ઉપશમ, વેદક અને સાસ્વાદન સમકિત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૭૬૧ :—સાધુ, મકાનની ઉપરની મ`જિલમાં રાકાઈ શકે છે, કે નહિ ? પ્રમાણ સાથે બતાવશે? જવાબઃ–બીજા આચારાંગ, ખીજું અધ્યયન, પ્રથમ ઉદ્દેશકના ૧૦મા સૂત્રમાં જરૂરી કારણા વિના મેડી ઉપર રોકાવાની મનાઈ કરી છે. પ્રશ્ન ૭૬૨ :—શ્રી ભગવતી સૂત્ર શતકે ૮ ઉદ્દેશા ૬ ના ૩ જા સૂત્રમાં શ્રાવકે તથારૂપ અસયતી વગેરેને અસન (ભેાજન) વગેરે દે, તે એકાંત પાપ કહ્યું, તે કેવી રીતે? વિસ્તારથી ખુલાસે લખશે ? જવાબ :—આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશાનાં પ્રથમ ત્રણે પ્રશ્ન, મેક્ષ અર્થે દાનવિષેનાં છે, અનુક ંપા વગેરે દાન વિષેના નહિ. આથી તે જવાય નિરા અને પાપ સંબ ંધિત છે, પુણ્ય સાથે નહિ. જેમકે—પહેલા બીજા પ્રશ્નમાં સાધુને વહાવરાવવાથી નિરાની સાથે સાથેજ પુણ્ય પણ અવશ્ય થાય છે, પરંતુ ત્યાં પુણ્યનું પ્રકરણ ન હેાવાથી તેનું વર્ણન ન કરતાં નિરા કે પાપનુ જ વણૅન કર્યું છે. આ જ રીતે, ત્રીજા પ્રશ્નમાં પણ નિરા ન હાવાથી એકાંત પાપ બતાવ્યું છે, પર ંતુ પુણ્યના નિષેધ ન સમજવા જોઈ એ. અહીંયા માત્ર અસંયતિ શબ્દ ન કહેતાં ‘તથારુપ અસંયતિ ' કહ્યું, આનાંથી બધા અસંયતિઓના અથ ગ્રહણ ન થઈ ને ખીજા જૈનેતરાની વેશ--ભૂષા ધારણ કરવાવાળા તેમના ધર્માચાય, ધ ગુરુઓનુ જ ગ્રહણ થાય છે અને તેમને ગુરુ-બુદ્ધિથી દાન દેવામાં નિરા ન થતાં એકાંત પાપ ( મિથ્યાત્વ) થાય છે. અહી જે પડિલાભેમાણે ” શબ્દ છે, તે ગુરુમુદ્ધિથી દાનદેવાના અ`માં છે. આથી તથારુપનાં બીજા જૈનેતરીને ગુરુબુદ્ધિથી દાનદેવામાં નિરા ન બતાવતાં એકાંત પાપ (મિથ્યાત્વ ) બતાવ્યું છે. પ્રશ્ન ૭૬૩ :—જીવ, કર્મના બધ કરે છે, તે! શુ' બધા પ્રદેશેામાં આંધવાવાળા પ્રદેશ વગેરે બરાબર વહેંચાય છે કે ઓછા વધારે ? અને વીય અંતરાય વગેરેના ચાપશમ કરે છે, તે પણ બધાં પ્રદેશેાથી બરાબર છે કે આછા વધારે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy