SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] સમર્થ–સમાધાન ગંધ, રસ અને સ્પર્શ, આ ચાર ભેદોમાં કરવાથી ૧૬ ભેદ ઓછા થયા. પાંચ બંધન અને પાંચ સંઘાતન, આ ૧૦ પ્રકૃતિઓનો સમાવેશ પાંચ શરીરની સાથે કરવાથી, તે ૧૦ ભેદ ઓછા થયા. આ ૨૬ (૧૬૪૧૦) ભેદને અંતર્ભાવ કરીને બાકી ૧૨૨ પ્રકૃતિએ ઉદય અને ઉદીરણામાં બતાવી છે. ઉપરનાં સમાવેશને સમજીને ઉદય અને ઉદીરણની ૧૨૨ પ્રકૃતિએ કહી શકીએ છીએ. પ્રશ્ન ૭૩૩ –સત્તાગત પ્રકૃતિ ૧૪૮ માંથી બંધની પ્રકૃતિ ૧ર૦ બરાબર માન્ય છે? અને આ ૧૨૦ માંથી દેવ અને નરકમાં કેટલી મળે? જવાબ–પન્નવણું સૂત્રના ૨૩ મા પદના બીજા ઉદ્દેશકમાં ૧૪૮ જ પ્રકૃતિઓના બંધ બતાવ્યા છે, કર્મગ્રંથ વગેરેનાં કર્તાઓએ થોડીક પ્રવૃતિઓને અંતર્ભાવ (જેવી રીતે વર્ણ વગેરેની ૨૦ પ્રકૃતિઓને સમાવેશ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચારેમાં કરી લીધે, ઈત્યાદિ) કરીને બંધ ૧૨૦ પ્રકૃતિએના જ બતાવ્યા છે, પરંતુ બંધ તે બધી પ્રકૃતિઓના સમજવા જોઈએ. ૧૨. પ્રકૃતિઓમાંથી નરકગતિમાં ૧૦૧ પ્રકૃતિને અને દેવગતિમાં ૧૦૪ પ્રકૃતિએને બંધ થાય છે. પ્રશ્ન ૭૩૪–૭ લેસ્થામાંથી ક્યા ગુણસ્થાન સુધી કઈ કઈ લેશ્યા હોય છે? જવાબ–પન્નવણું વગેરે સૂત્રમાં તથા કર્મગ્રન્થમાં કૃષ્ણ વગેરે ૩ લેસ્થાઓમાં પ્રથમનાં ૬ ગુણસ્થાનક બતાવ્યા છે, ત્રીજા કર્મગ્રન્થમાં તથા ભગવતી સૂત્રની ટીકામાં આ ત્રણે લેશ્યાઓમાં જે પ્રથમનાં ૪ ગુણસ્થાનક બતાવ્યા છે, તેનું કારણ ચારિત્રની પ્રાપ્તિનાં સમયે ૩ અશુભ લેશ્યાઓ નથી હોતી (દેશ તથા સર્વ ચારિત્રની પ્રાપ્તિ ૩ વિશુદ્ધ લેશ્યાઓમાં જ હોય છે અને ચારિત્ર પ્રાપ્ત થયા પછી બીજી કોઈ પણ લેશ્યા આવી શકે છે, આવું આવશ્યક નિર્યુક્તિમાં ભદ્રબાહુ સ્વામીએ બતાવ્યું છે. આથી કૃષ્ણ વગેરે ૩ લેશ્યામાં ગુણસ્થાનક ૬ સમજવા જોઈએ. પ્રશ્ન ૭૩પ –ત્રણે વેદમાં ગુણસ્થાનક કેટલાં છે? જવાબ –સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણે વેદમાં પહેલાથી નવમા સુધી ૯ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૭૩૬ -પાંચ જ્ઞાનમાં ગુણસ્થાનક કેટલાં અને કયા હોય છે? જવાબઃ–પહેલા, ત્રીજા, તેરમા અને ચૌદમા, આ જ ગુણસ્થાનક છોડીને બાકીનાં ૧૦ ગુણસ્થાનક મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનમાં છે. આ સૂત્ર પ્રમાણે છે, પરંતુ કર્મગ્રન્થ વગેરેમાં ઉપર કહેલા ૧૦ ગુણસ્થાનકમાંથી બીજું ગુણસ્થાનક છોડીને બાકીનાં ૯ જ ગુણસ્થાનક કહે છે. મારા વિચારથી ૧૦ કહેવા ઠીક છે. મન:પર્યાય જ્ઞાનમાં છઠ્ઠાથી ૧૨ મા સુધી ૭ ગુણસ્થાન અને કેવળજ્ઞાનમાં ૧૩ મું અને ૧૪ મું આ બે ગુણસ્થાનક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy