SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] સમર્થ–સમાધાન જવાબ –આશ્રવના કર ભેદોમાંથી ઈરિયાવહી ક્રિયાને છોડીને બાકીના ૪૧ ભેદ નરક અને દેવગતિમાં હોય છે. બારભાવના અને દર્શન પરિષહ જ્ય (નિશ્ચય સમિતિને કારણે) આ સંવરના તેરભેદ નરક અને દેવગતિમાં હોય છે. પ્રશ્ન ૭૨૩-પૃથ્વી, અપ અને પ્રત્યેક-વનસ્પતિમાં ગુણઠાણું (ગુણ સ્થાન) કેટલા છે? જવાબ–પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં સૂત્ર પ્રમાણે તે એક પહેલું જ ગુણસ્થાન બતાવ્યું છે, અને મારા વિચારથી આ જ બરાબર છે, પરંતુ કર્મગ્રી વગેરેમાં પહેલું અને બીજું–આ બન્ને ગુણસ્થાન બતાવ્યા છે. પ્રશ્ન ૭૨૪–પૃથ્વીકાય અને બેઇન્દ્રિયમાં લેશ્યા કેટલી હોય ? જવાબઃ–પૃથ્વીકાયમાં ૪ અને બે ઈન્દ્રિયમાં ૩ લેહ્યા હોય છે. પ્રશ્ન ૭૨૫–પૃથ્વીકાય અને બેઇન્દ્રિયમાં પાંચ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન હોય? જવાબ –સૂત્ર પ્રમાણે બે ઈન્દ્રિયમાં જ્ઞાન બે (મતિ અને કૃતિ) હોય છે. પૃથ્વીકાયમાં જ્ઞાન નથી હોતું, મારા વિચારથી આ જ બરાબર છે, પરંતુ કર્મગ્રન્થ વગેરેમાં તે આ બન્નેમાં જ્ઞાન નથી બતાવ્યું. પ્રશ્ન ૭૨૬ –આત્મા ૮ છે, આમાંથી પાંચ સ્થાવર અને ત્રણ વિકલેયિમાં કેટલા આત્મા છે? જવાબ :–જ્ઞાન અને ચારિત્રનાં સિવાય બાકીનાં ૬ આત્માઓ પાંચ સ્થાવરમાં અને ચારિત્રનાં સિવાય બાકીનાં ૭ આત્માઓ ત્રણ વિકેલેન્દ્રિયમાં છે. આ સૂત્ર અનુસાર છે. કર્મગ્રન્થ વગેરે વાળ વિલેન્દ્રિયમાં જ્ઞાન-આત્મા નથી માનતા. આથી તે બન્નેમાં (સ્થાવર અને વિકસેન્દ્રિય) માં છ આત્મા માને છે. પ્રશ્ન ૭૨૭–કેટલાક મહાત્માઓનાં મત છે-ૌરવ, ભવાની, મહાદેવ વગેરે વાણુવ્યંતર, ભવનપતિ દેવેની પૂજા, મનેતી (માનતા) વગેરે મિથ્યાત્વ છે. શું સંસારના વ્યવહારમાં આવું કરવાવાળા પણ મિથ્યાત્વી કહી શકાય છે? જવાબ –સમ્યગ્ર દષ્ટિ હોવા છતાં પણ જે સાંસારિક કાર્યને માટે વાણુવ્યંતર, ભવનપતિ વગેરે દેવની પૂજા અર્ચના કરે છે અને લ કાર્યને સાંસારિક પ્રવૃત્તિ માને છે તથા પ્રરૂપે છે, આ રીતે કરવાવાળાનાં “ભાવ-મિથ્યાત્વ” તે નહિ, પરંતુ પ્રવૃત્તિ-મિથ્યાત્વ છે. પડિમાધારી અને અભિગ્રહધારીના સિવાય અનેક સમ્ય દષ્ટિ ગૃહસ્થ જીવોને આવું કાર્ય કરવાને પ્રસંગ આવે અને કરે (જેવી રીતે ચક વગેરે રત્નની પૂજા તેમજ દેવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy