SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ] સમર્થે સમાધાન આ સૂત્રથી ગૃહસ્થને વિહારમાં સાથે રાખવાની તેમજ ટીકામાં તેની પાસેથી આહાર ગ્રહણ કરવાની સ્પષ્ટ મનાઈ છે. શ્રી નિશીથસૂત્રના બીજા ઉદેશાના કર મા સૂત્રમાં બીજા જૈનેતર કે ગૃહસ્થ વગેરેને ગ્રામનુગ્રામ વિહારમાં સાથે રાખવાથી પ્રાયશ્ચિત કહ્યું છે. આ પ્રશ્ન ૭૦૨ –અસંજ્ઞીમા ૨૨ દંડકમાંથી ૧૩ અશાશ્વત અને ૯ શાશ્વત કયા ક્યા છે? જવાબ:- નારકને એક દંડક, દસ ભવનપતિ દેના ૧૦ દંડક, વાણવ્યંતર દેવેને ૧ દંડક અને મનુષ્યોને એક દંડક, આ ૧૩ દંડકોમાં અસંસી કેક વખત મળે છે અને કેકવખત નથી મળતા. આથી આ ૧૦ દંડક અસંજ્ઞીનાં અશાશ્વત છે. પાંચ સ્થાવરનાં પ દંડક, ત્રણ વિકલેન્દ્રિયનાં ૩ દંડક અને તિર્યંચ પંચેન્દ્રિયને, ૧ દંડક, આ ૯ દંઠકમાં અસંજ્ઞી નિરંતર મળે છે. આથી આ ૯ દંડક અસંજ્ઞીનાં શાશ્વત છે. આ પ્રશ્ન ૭૦૩–૧૬ સતીઓનાં નામ કમવાર લખવાની કૃપા કરશે. વિશેષ ખુલાસે એ કરે કે સતીઓ ક્યા કયા તિર્થંકરનાં સમયમાં થઈ ગયાં? જવાબ –ળ સતીઓની નામાવલી ક્રમ આ પ્રમાણે જોવામાં આવ્યું છે ? (૧) બ્રાહ્મી (૨) સુંદરી (૩) ચંદનબાળા (૪) રાજમતિ (૫) દ્રૌપદી (૬) કૌશલ્યા (૭) મૃગાવતી (૮) સુલસા (૯) સીતા (૧૦) સુભદ્રા (૧૧) શિવા (૧૨) કુન્તી (૧૩) શીલવતી (૧૪) દમયંતી (૧૫) પુષ્પચૂલા (૧૬) પદ્માવતી. બ્રાહ્મી અને સુંદરી ભ. શ્રી ત્રિષભદેવજીના સમયમાં, ચંદનબાળા, મૃગાવતી, સુલસા, શિવા અને પદ્માવતી–પ્રભુ મહાવીરના સમયમાં, રાજમતી, દ્રૌપદી અને કુન્તી–શ્રી અરિષ્ટનેમિના સમયમાં, કૌશલ્યા અને સીતા-શ્રી મુનિસુવ્રતજીના શાસનમાં, દમયંતી શ્રી ધર્મનાથના શાસનમાં થઈ. સુભદ્રાને સમય સંભવિતપણે ભગવાન પાર્શ્વનાથની પછી છે. બાકીની ૨ સતીઓને સમય મારી યાદમાં નથી. પ્રશ્ન ૭૦૪-એક ઉપગ, વાટે વહેતા સિદ્ધના જીવમાં કેવી રીતે હેય? જવાબ –કેવળી, જ્યારે શરીર છોડીને મોક્ષ પધારે છે, ત્યારે રસ્તામાં તેમને એક જ સમય લાગે છે અને ત્યાં માત્ર એક કેવળજ્ઞાનને જ ઉપગ ચાલુ રહે છે, કે જે ઉત્તરાધ્યયનનાં ૨મા અધ્યયનને “સાગારે વઉત્ત સિઝઈ” પાઠથી સ્પષ્ટ છે. આ જ રીતે, પન્નાવણના ૩૬ મા પદ વગેરેથી પણ સ્પષ્ટ છે. આ પ્રશ્ન ૭૦૫ –નરક અને દેવલોકમાં ૪ કષાયના શાશ્વત અશાશ્વતને પ્રશ્ન કર્યો, નરકમાં ક્રોધ કષાયવાળા શાશ્વત બતાવ્યા અને દેવલેકમાં લાભ કષાયવાળા શાશ્વત બતાવ્યા, તે કેવી રીતે? જીવાભિગમ સૂત્રમાં સાતમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy