SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] સમર્થ–સમાધાન નહિ? જે મળી શકે છે, તે પહેલા તેને મળી હતી? વધારેમાં વધારે કેટલી મળી શકે છે? જવાબ –તીર્થકર, ચકવત, બળદેવ, વાસુદેવ, માંડલિકરાજા, સમ્યગૃષ્ટિ, શ્રાવક, સાધુ અને કેવળી–આ નવ પદવી મોટી છે. આમાંથી બળદેવ, વાસુદેવ અને શ્રાવક, આ ત્રણ પદવીઓને છેડીને બાકીની ૬ પદવી શ્રી શાંતિનાથજીના ભાવમાં મળી હતી. આનાથી વધારે કોઈને પણ એક ભવમાં નથી મળી શકતી. પ્રશ્ન દ૯૯–જીવિત મનુષ્યના શરીરમાં જે પુદગલ છે, તે પુદ્ગલ સજીવ છે કે નિજીવ શરીરનાં પુદગલ કીટાણુ જે સજીવ છે, તે ઉપવાસ કરવાથી શરીરના કીટાણુને પીડા થાય છે. જે કીટાણુંને પીડા થાય છે, તે તપસ્યા કરવાથી પાપ નથી થતું શું? જવાબ –મનુષ્યના જીવિત શરીરમાં વિવિધ ગુણ, સ્વભાવ અને આકાર પ્રકારવાળા પુદ્ગલ શાસ્ત્ર અનુસાર નિજીવ જ બતાવ્યા છે, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક તે પુદ્ગલેને કિટાણુ (જીવ) માને છે. જિનમત અનુસાર જીવિત શરીરના પગલેને નિર્જીવ માન્ય છે. આ કારણથી શુદ્ધ તપશ્ચર્યાથી પાપ થાય નહિ, પરંતુ નિર્જરા થાય છે. શરીરના ગમે તે ભાગમાં કૃત્રિ, જૂ, અને લીખ વગેરે ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ પ્રત્યેક મનુષ્યના સંપૂર્ણ શરીરમાં જે આજના વૈજ્ઞાનિક કિટાણુ (જીવ) માને છે, તે સૂત્ર અનુસાર નથી. શરીરના કોઈપણ ભાગમાં કૃમિ, જૂ, વગેરે ઉત્પન્ન થાય છે. તપ કરવાથી તેમનાં પિષણમાં કઈ વાંધો નથી રહેતો. તેમનું પોષણ તો લેહી વગેરેથી નિબંધ થતું જ રહે છે, એટલા માટે વિશુદ્ધ તપ નિર્જરનું જ કારણ છે, પ્રશ્ન ૭૮૦–ચિત્રવાળા મકાનમાં સાધુને ઊતરવાની મનાઈ છે, જે ચિત્ર છે, તેના ભાવ બગડવાની આશંકા રહે છે, તે પછી જિન-મૂર્તિનાં દર્શનથી શુભ ભાવ ઉત્પન્ન થાય, તેમાં સંદેહ જ ન હૈ જોઈએ. જ્યારે ચિત્રવાળા મકાનમાં ઉતરવાથી ભાવ બગડી શકે છે, તો વીતરાગનાં ચિત્ર જેવાથી કે મૂર્તિનાં દર્શનથી શુભ ભાવ શા માટે ન થાય? ' જવાબ –વિદ્યા, કલા વિગેરે મેળવવા માટે મનુષ્યને જુદા જુદા પ્રકારનાં પ્રયત્ન કરવાં પડે છે, પરંતુ અનેક પાપ–કાર્ય (કલહ, કુદષ્ટિ વગેરે) મનુષ્ય તે શું, પશુ પણ પ્રયત્ન વિના જ શીખી જાય છે. કેમકે વિદ્યા વગેરે કર્મોનાં ક્ષેપશમથી પ્રાપ્ત થાય છે અને કલહ વગેરે કર્મોનાં ઉદયથી, વિકારીભાવ કર્મોનાં ઉદયથી ઉત્પન્ન થાય છે અને ચિત્ર વગેરે મનેવિકારમાં સહાયક છે. આટલા માટે અશુભ નિમિત્ત (ચિત્ર વગેરે) થી બથવું અતિ જરૂરનું છે, પરંતુ સંભાવ, કર્મોનાં ક્ષપશમ વગેરેથી ઉત્પન્ન થાય છે. આ કારણથી તેને માટે શુભ અને અશુભ બહારનાં નિમિત્તની અનિવાર્ય જરૂરિયાત નથી હોતી, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy