SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે જવાબ–પાંચમે દેવલોકની ઉપરની ૧૨ માં સ્વર્ગ સુધી વાવડીઓ, બાદર અપકાય અને વનસ્પતિકાય છે, લાંતક વગેરેને માટે જે મના કરી છે, તે તે સ્વર્ગોની નીચેની અપેક્ષાથી છે. પહેલા અને બીજા સ્વર્ગની નીચે ઘોદધિ તથા ત્રીજા, ચેથા અને પાંચમાની નીચે નમસ્કાય હોવાથી પ્રથમના ૫ સ્વર્ગોની નીચે બાદર અપ અને વનસ્પતિને સંભવ છે. ૬-૭-૮ મા દેવલોક, ઘોદધિ અને ઘનવાયનાં આધારથી છે, પરંતુ તે સ્વર્ગોની નિચે સંલગ્ન તે વાયુ છે તથા આગળનાં સ્વર્ગ બધાં આકાશનાં આધાર ઉપર છે. આટલા માટે લાંતક વગેરેની નીચે બાદર અપકાય વગેરેની મના છે. ૧૨ જ દેવકની વાવડીઓમાં બાદર અપકાય છે અને તે અપકાયમાં બાદર વનસ્પતિ (નિદ) છે. પ્રશ્ન દ૨૮ –પકમવાળાનું આયુષ્ય ઘટે છે, તે તે બાકીનું આયુષ્ય ક્યાં પૂરું થાય છે? એક જીવનું આયુષ્ય જ્ઞાતિઓની દષ્ટિમાં ૭૫ વરસ છે (ભલે ને તે શ્વાચ્છવાસની ગણતરીથી હેય) તે શું આ ૭૫ માંથી તે પાંચ દસ વરસ ઓછું ભેગવીને પહેલાં જ મરી શકે? અને પહેલા અરે, તો બાકી રહેલું આયુષ્યકર્મ ક્યાં ભેગવશે? શું તેનું સંકમણુ બીજી ગતિ, જાતિ વગેરેમાં થઈ શકે છે? કે ભગવ્યા વિના જ નષ્ટ થઈ શકે છે? સ્મરણ છે કે આયકર્મ બાંધ્યા પછી નિકાચિત જ થાય છે, તે આવું નિકાચિત આયુષ્ય પણ ભગવ્યા વિના, વચમાં જ તૂટી શકે છે શું? આયુષ્યનું તૂટવું, ઓછું થવું–આ વ્યાવહારિક દૃષ્ટિથી કહેવાય છે, કે નિશ્ચયથી પણ? જવાબ –વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ થવા પર જ તે જીવ બીજા ભવને પ્રાપ્ત કરે છે, આટલા માટે બાકીનાં આયુષ્યને પ્રશ્ન જ નથી ઊઠતે. - જ્ઞાનીઓની દષ્ટિથી જેટલું આયુષ્ય ચાલુ ભવમાં જે જીવનું છે, તેટલું બધું જ પૂર્ણ કરે છે, તેમાં કંઈ ફેરફાર નથી થઈ શકતે. આ વાત પહેલા શતકના ચેથા ઉદ્દેશના મૂળ પાઠથી સ્પષ્ટ થાય છે. ખુદના શ્વાસોચ્છવાસની ગણતરી અને આયુષ્યને પણ એકાન્ત સંબંધ નથી. જેવી રીતે-બે જીવ સાથે મર્યા, તેમાંથી એક સાતમી નરકના “અપઈઠાણુમાં અને બીજે સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની સ્થિતિએ ગયે, નરકને જીવ તે લુહારની ધમણની જેમ શ્વાસ લે છે, અને સર્વાર્થસિદ્ધને જીવ પખવાડીયે શ્વાસ લે છે, પરંતુ બન્નેના ૩૩ સાગર એકી સાથેજ પૂરા થશે. આથી શ્વાસે છવાસનું કોઈ કારણ નથી. આયુષ્ય-કર્મનું સંક્રમણ નથી થતું. આ વાત ભગવતીના પહેલા શતકના પહેલા ઉદ્દેશાની ટીકાથી સ્પષ્ટ થાય છે. (ભગવતીના પહેલા ખંડના ૬૫,૬૬ પાનામાં) આયુષ્યકર્મ તુટવાનું વર્ણન વ્યવહાર દૃષ્ટિથી છે. નિરૂપકમીમાં જે વ્યવહાર-દષ્ટિ છે, તે જ દેખાતાં ઉપકમની અપેક્ષાથી અને સપક્રમ આયુષ્યનું જે વર્ણન છે, તે આયુષ્ય કર્મ બાંધતા સમયની અપેક્ષાથી છે, સ. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy