SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૫ ભાગ પહેલે (૨) ઉત્તરાધ્યયન અ. ૩૬ માં બાદર અગ્નિકાયનાં ભેદમાં “વિજજૂ” શબ્દથી વિજળીને તેઉકાયમ સ્વીકાર કરી છે. (૩) “અભિધાન રાજેન્દ્ર” કેષ પૃ. ૨૩૪૭ ઉપર “તેઉકાય” શબ્દની વ્યાખ્યામાં પિચ્છનિર્યુક્તિ”, “ઓઘનિર્યુક્તિ, આવશ્યક મલયગિરિ, કલ્પ–સુબોધિકા, બ્રહતું ક૯૫વૃત્તિનાં અવતરણ દીધાં છે, જેમાં અગ્નિકાય ત્રણ પ્રકારની બતાવી છે-૧ સચિત્ત ૨ મિશ્ર અને ૩ અચિત્ત. સચિત્ત બે પ્રકારની ૧ નિશ્ચય અને ૨ વ્યવહાર નિશ્ચયથી સચિત્ત-ઈટની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી ઈત્યાદિ ભઠ્ઠીઓની મધ્યને અગ્નિ અને વિજળીને અગ્નિ-નિશ્ચય સચિત્ત છે. વ્યવહાર સચિત્ત-અંગારા (જવાળા વિનાને અગ્નિ) વગેરે, મિશ્ર તેજ કાયમ–મુર્ખર (ચિનગારીઓ) વગેરે. અચિત તેજસ્કાયમ–અગ્નિ વડે રંધાયેલું ભોજન, શાક, પીવાનાં પદાર્થ, એવી જ રીતે અગ્નિ મારફત તૈયાર કરેલી લેઢાની સેઈ વગેરે વસ્તુઓ તથા શખ, કેલસા વગેરે અચિત્ત તેજસ્કાય છે. અચિત્તની નામાવલીમાં વિજળીનું નામ નથી. (૪) શ્રી ભગવતીસૂત્ર શ. ૫ ઉ. ૨ નાં ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે માત્ર સચિત અગ્નિનાં મૃત (મરેલાં) શરીરને જ અચિત્ત અગ્નિ કર્યો છે, બનાવટી વિજળી વગેરેને નહિ. (૫) ભગવતી શ. ૭ ઉ. ૧૦ માં અચિત્ત પ્રકાશક, તાપક પુદ્ગલમાં માત્ર ધ અભિભૂત (વશ) સાધુની તેજેલેસ્થાને લીધી છે, પરંતુ વિજળીને નથી લીધી. (૬) સૂયગડાંગના બીજા ગ્રુતસ્કંધ ત્રીજા અધ્યયનમાં ઉલ્લેખ છે કે-રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચિત્ત તથા અચિત્ત શરીરમાં પૃથ્વી, અપ, તેઉકાય વગેરે રુપમાં, જીવ પૂર્વે કરેલાં કર્મનાં ઉદયથી ઉત્પન્ન થાય છે. આથી સાબિત થાય છે કે બેટરી, દીવાસળી અને તાંબાના તારમાં સચિત્ત તેજસ્ ઉત્પન્ન થઈ શકે છે. (૭) લેકેથી ખબર પડી કે અગ્નિની જેમ જ વિજળીથી પણ ભેજન બનાવાય છે, વાળાઓ નીકળે છે, હવા ગરમ થાય છે. જે પ્રકારે કેલસા, તેલ વગેરેથી અગ્નિ ઉત્પન્ન કરીને મશીને ચલાવાય છે, તે જ રીતે વિજળીથી પણ મશીન ચલાવાય છે. વિજળી, મનુષ્યનાં મૃત્યુનું કારણ પણ બની જાય, તેમાંથી બબ (ગોળા) અને પંખા, પણ ગરમ થઈ જાય છે, બધી રીતે જોઈએ તે વિજળી, અગ્નિને “મહાપુંજ” છે અને સાધારણ અગ્નિથી પણ મોટાં કામ કરવાવાળી છે, પછી તેને અચિત કેવી રીતે માની લેવાય? પૂ. શ્રી આત્મારામજી મહારાજે દશવૈકાલિક સૂત્રનાં ચેથા અધ્યયનમાં તેજસ્કાયની યતનાનાં અધિકારમાં પાના નં. ૧૬૧ ઉપર લખ્યું કે – સ, ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy