SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ જ રટણ, આત્માનુભવની તીવ્ર ઝંખના, સતત સગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્શાસ્ત્રો દ્વારા જાણેલા તત્ત્વાર્થોનાં ઉપશમભાવ સહિત અંતરદષ્ટિપૂર્વકનાં ઊંડાં ચિંતન-મનનના કારણે શ્રીમદ્ને આત્મસ્વરૂપ પ્રત્યે એવી અનન્ય પ્રીતિ પ્રગટી હતી કે તે સિવાય બીજે કશે પણ તેમનું ચિત્ત ઠરતું ન હતું. વિષયોથી વિરક્ત, સંસારી કાર્યોથી ઉદાસીન અને સ્વભાવ તરફના ઝુકાવવાળા શ્રીમદ્ આત્મરસની એવી તો ધૂન ચડી હતી કે ક્યારે ઉપયોગ પોતામાં એકામ થઈને શુદ્ધ સમકિત પામે. તેઓ પોતાની ચૈતન્યવહુના ઊંડા ચિંતન દ્વારા આત્મસાક્ષાત્કાર માટેનો પુરુષાર્થ કરતા હતા. ફરી ફરી આત્માનું મંથન કરી તેઓ ઊંડા ઊતરતા જતા હતા. વિ.સં. ૧૯૪૬ના એક પત્રમાં શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે – “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે.' વિ.સં. ૧૯૪૬ સુધીમાં હાડોહાડ પરમાર્થરંગે રંગાયેલા શ્રીમનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મમય બની ગયા હતા અને તેમનો જીવનપ્રવાહ સંપૂર્ણ વિશુદ્ધ આત્મસ્થિતિ તરફ અવિરત વહેતો હતો. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગન હતી. તેમની અંતરંગ પરિણતિ ચૈતન્યની શાંતિને ઝંખી રહી હતી. કષાયોની અશાંતિથી તેઓ અત્યંત થાક્યા હતા. તેમનું વૈરાગી હૃદય ભવ-તન-ભોગોથી પાર પરમાત્મતત્ત્વને શોધી રહ્યું હતું. સર્વ પરભાવોથી દૂર એવી નિજગુફામાં પ્રવેશવા તે તત્પર બન્યું હતું. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૪ (પત્રાંક-૧૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy