SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) કિશોરાવસ્થામાં અભુત શંકિતઓનો આવિર્ભાવ (i) અવધાનશક્તિ પૂર્વના પ્રબળ સંસ્કારી અને બળવાન ક્ષયોપશમી એવા શ્રીમદ્ભાં લઘુવયથી અસાધારણ સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, વસ્તૃત્વશક્તિ આદિ અનેક વિશિષ્ટ શક્તિઓનો આવિર્ભાવ થયો હતો. નાનપણથી જ શ્રીમદ્ નવું નવું શીખવાની તીવ્ર જિજ્ઞાસા હતી. નવી વિદ્યા દીઠી કે લીધી જ છે એવો અભિનવ જ્ઞાનવૃદ્ધિ કરવાનો ઉત્કટ ઉત્સાહ તેમને હતો. તેઓ જે કાંઈ સારું જુએ તેનું ત્વરાથી અનુકરણ કરતા અને અલ્પ સમયમાં જેનું અનુકરણ કર્યું હોય તેના કરતાં આગળ વધી જતા. આનું ઉત્તમ ઉદાહરણ છે તેમની અદ્ભુત અવધાનશક્તિ, જેનું દર્શન વિ.સં. ૧૯૪૦ના અરસામાં થાય છે. અવધાનશક્તિ એટલે વિશિષ્ટ પ્રકારની તીવ્ર સ્મરણશક્તિ. એકસાથે અનેક વસ્તુ યાદ રાખી, ભૂલ વિના અનેક કાર્યોમાં ઉપયોગ રાખવાની શક્તિને અવધાનશક્તિ કહેવામાં આવે છે. ધારણા નામના મતિજ્ઞાનના ભેદમાં આ શક્તિનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ જેટલી સંખ્યા સુધીનાં કાર્ય એકીસાથે કરી શકે તેટલી સંખ્યાના અવધાનકાર તરીકે તે વ્યક્તિને ખ્યાતિ મળે છે. આમ, અવધાનકારો અષ્ટાવધાની, બાર અવધાની, સોળ અવધાની, બાવન અવધાની, શતાવધાની આદિ વિવિધ નામે ઓળખાય છે. - શ્રીમદ્ જેવા અસાધારણ તેજોનિધિ માટે વવાણિયા ક્ષેત્ર નાનું હોવાથી તથા વિદ્વાન મનુષ્યોના સમાગમનો અવકાશ ઓછો હોવાથી તેમની વૃત્તિ પ્રવાસ તરફ રહ્યા કરતી. વિ.સં. ૧૯૪૦માં સોળ વર્ષની વયે તેઓ મોરબી ગયા હતા. મોરબીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy