SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વ્યાખ્યાનસાર-૧૧ વિ.સં. ૧૯૫૪માં તેમજ વિ.સં. ૧૯૫૫ના મહાથી ચૈત્ર માસ સુધીમાં શ્રીમની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલા વ્યાખ્યાનોનો એક મુમુક્ષુ શ્રોતાએ પોતાની સ્મૃતિ ઉપરથી ટાંકેલ સાર તે ‘વ્યાખ્યાનમાર-૧' છે. ‘વ્યાખ્યાનમાર૧'ના ૨૨૨ ભાગો છે. તેમાં મુખ્યત્વે તત્ત્વવિચારણા સંગીત થયેલી છે. આત્મા, ગ્રંથિભેદ, ગુણસ્થાનક, કષાય, કેવળજ્ઞાન, સમકિતની સમજણ તથા તેનો મહિમા, મન:પર્યવજ્ઞાન, કર્મબંધ, વિરતિ, નય, સિદ્ધાંત, મતારહત્યાગ, મોક્ષમાર્ગ, ચાર અનુયોગ, મિથ્યાત્વ, ત્યાગ, ક્રિયા આદિ અનેક બાબતો ઉપર તેમનો વિશદ્ બોધ જોવા મળે છે. તેમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ વિષેનાં ટાંચણો છે, પણ વિષયવાર કે વિષયક્રમમાં વ્યવસ્થિત રીતે થયેલું લખાણ જોવા મળતું નથી. તેમાં તત્ત્વના વિષયો ઉપર થયેલ શાસ્ત્રોક્ત વિચારણા ઉપરથી પરમ જ્ઞાનનિધાન શ્રીમતું તત્ત્વવિષયો ઉપરનું અસાધારણ સ્વામિત્વ દૃષ્ટિગોચર થાય છે. તેઓ દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ આદિ કઠિન વિષયોના કુશળ પરિવ્યાખ્યાતા છે, મહાન શાસ્ત્રકારોના હૃદયમાં ઊતરી તેમનાં શાસ્ત્રોનો નિચોડ યથાર્થપણે પ્રકાશનારા છે એ વ્યાખ્યાનસાર-૧' પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને શીધ્ર સમજાય એમ છે. આ વ્યાખ્યાનસાર વિષે પંડિત સુખલાલજી લખે છે – વ્યાખ્યાનસાર' આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૬-૭૬૧ (આંક-૯૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy