SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ તેમણે બોધવચનોને ૨૨ ટૂંકા પ્રશ્નોત્તરરૂપે રજૂ કર્યા છે. તેમણે ધર્મ અને સદાચારની દૃષ્ટિએ ઉત્તર આપ્યા છે. તે ઉત્તરો સચોટ, માર્મિક અને સહેલાઈથી યાદ રહી જાય તેવા છે. આંક ૨૫માં તેમણે એક પ્રૌઢ તત્ત્વજ્ઞાનીને છાજે તેમ તત્ત્વસંકલનાબદ્ધપણે મનને વશ કરવાનાં સાધનો, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા, ચાર અનુયોગ, સંતોષ, ક્લેશત્યાગ, સમાધિમરણ આદિ વિષે જીવનસૂત્રો ગુંથ્યાં છે. શ્રીમદ્ભા પત્રોમાં પણ ઠેકઠેકાણે સુવચનો જોવા મળે છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૨૦૦માં શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર શ્રી મણિલાલ ઉપર ૧૪ ટૂંકા અને સચોટ વાક્યો “વચનાવલી' શીર્ષક હેઠળ લખ્યાં છે. પત્રાંક ૪૬૬, પત્રાંક ૬૦૯ આદિમાં પણ તેમણે બોધવચનો લખ્યાં છે. આ વચનો કોઈ પણ વિવેકી આત્માને મોક્ષમાર્ગ ઉપર આરૂઢ થવા માટે ઉપયોગી થાય તેવાં છે. શ્રીમદે લખેલાં બોધવચનોની ભાષા સરળ છે, છતાં કથનમાં એટલી જ વિશદતા પણ છે. યોગ્ય શબ્દની પસંદગી, વિચારોની સ્પષ્ટતા સાથે ચિંતનનું ઊંડાણ અને ગાઢ વૈરાગ્યની છાપ તેમાં જોવા મળે છે. પ્રૌઢ વિચારણામય, કલાત્મક સંકલનાથી ગૂંથાયેલાં આ બોધવચનો વાંચતાં જાણે કોઈ પ્રાચીન મહર્ષિ અભિનવ સૂત્રરચના કરતા હોય એવો ભાસ થાય છે. આ વચનો સામાન્ય કક્ષાના જીવોથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાવાળા જીવોને એમ સર્વને ઉપકારી થઈ શકવા સમર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy